Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateહોળી ધુળેટીના તહેવારોનો બજારમાં ધમધમાટ...20 થી 25 ટકાનો ભાવ વધારો...

હોળી ધુળેટીના તહેવારોનો બજારમાં ધમધમાટ…20 થી 25 ટકાનો ભાવ વધારો…

સમગ્ર દેશમા અત્યંત લોકપ્રિય એવા હોળી ધુળેટી પર્વનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ધૂળેટીના પર્વ આડે હવે એકાદ પખવાડિયાનો સમય માંડ બાકી રહ્યો છે, ત્યારે  વિવિધ વિસ્તારમાં છુટાછવાયા પિચકારીનું વેચાણ શરૂ  થઈ ગયું છે. ધીમે ધીમે નાના-મોટા સ્ટોલ ખૂલવા માંડયા છે. કોરોનાના ગ્રહણ બાદ મોંઘવારીએ અજગર ભરડો લીધો હોવાથી લોકોએ આ વખતે પિચકારીની ખરીદીમાં રપથી ૩૦ ટકા ભાવ વધારો આપવા તૈયાર રહેવું પડશે. બજારોમાં વેચાતી મોટાભાગની પિચકારી ચાઈના અને દિલ્હીથી મગાવવામાં આવે છે. શહેરના સિઝનલ બજારોના વેપારીઓએ જથ્થાબંધ પિચકારીની ખરીદી શરૂ કરી દીધી છે.

ધૂળેટીના તહેવારની નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સહુ કોઈ અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. આગામી ૮ માર્ચના રોજ આવી રહેલા આ પર્વને લઈને શહેરમાં પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જુદા જુદા વિસ્તારોમાં નાની નાની દુકાનો ખૂલવા માડી છે. કોરોનાની ત્રીજી લહેરના કારણે આ વખતે પણ ચાઈના અને દિલ્હીમાં ઉત્પાદકોએ ઓછો માલ બનાવ્યો છે. જથ્થાબંધ વેપારીઓ માલની અછત હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત મોંઘવારી વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. માટે પિચકારીના ભાવમાં રપથી ૩પ ટકા સુધીનો વધારો થયો છે. બજારમાં ર૦ રૂપિયાથી ૧ હજાર રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાય છે. ગત વર્ષે બજારમાં પ૦ રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે ૬પથી ૭૦ અને ર૦૦ રૂપિયાની પિચકારીના રપ૦ જેટલા ભાવ રહેશે.

Published by : Anu Shukla

સમગ્ર દેશમા અત્યંત લોકપ્રિય એવા હોળી ધુળેટી પર્વનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ધૂળેટીના પર્વ આડે હવે એકાદ પખવાડિયાનો સમય માંડ બાકી રહ્યો છે, ત્યારે  વિવિધ વિસ્તારમાં છુટાછવાયા પિચકારીનું વેચાણ શરૂ  થઈ ગયું છે. ધીમે ધીમે નાના-મોટા સ્ટોલ ખૂલવા માંડયા છે. કોરોનાના ગ્રહણ બાદ મોંઘવારીએ અજગર ભરડો લીધો હોવાથી લોકોએ આ વખતે પિચકારીની ખરીદીમાં રપથી ૩૦ ટકા ભાવ વધારો આપવા તૈયાર રહેવું પડશે. બજારોમાં વેચાતી મોટાભાગની પિચકારી ચાઈના અને દિલ્હીથી મગાવવામાં આવે છે. શહેરના સિઝનલ બજારોના વેપારીઓએ જથ્થાબંધ પિચકારીની ખરીદી શરૂ કરી દીધી છે.

ધૂળેટીના તહેવારની નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સહુ કોઈ અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. આગામી ૮ માર્ચના રોજ આવી રહેલા આ પર્વને લઈને શહેરમાં પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જુદા જુદા વિસ્તારોમાં નાની નાની દુકાનો ખૂલવા માડી છે. કોરોનાની ત્રીજી લહેરના કારણે આ વખતે પણ ચાઈના અને દિલ્હીમાં ઉત્પાદકોએ ઓછો માલ બનાવ્યો છે. જથ્થાબંધ વેપારીઓ માલની અછત હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત મોંઘવારી વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. માટે પિચકારીના ભાવમાં રપથી ૩પ ટકા સુધીનો વધારો થયો છે. બજારમાં ર૦ રૂપિયાથી ૧ હજાર રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાય છે. ગત વર્ષે બજારમાં પ૦ રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે ૬પથી ૭૦ અને ર૦૦ રૂપિયાની પિચકારીના રપ૦ જેટલા ભાવ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!