Published By:-Bhavika Sasiya
- રેવા સેવા કેન્દ્ર વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત ઝઘડિયા ખાતે 10 હજાર વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ યોજાયો.
પવન સલિલામાં નર્મદાનું જળ પી ને પરિક્રમા કરતા પૂજ્ય દાદાગુરૂના આશીર્વાદ અને પ્રેરણા તથા ઝગડીયા ગ્રામ પંચાયત તેમજ યુપીએલ કંપનીના સહયોગથી ગુજરાત રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં રેવા સેવા કેન્દ્ર વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત ઝઘડિયા ખાતે 10 હજાર વૃક્ષારોપણ કરતો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં કરવામાં આવશે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઝગડીયા મતવિસ્તાર ના ધારાસભ્ય રીતેશ વસાવા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ પટેલ,યોગશ પટેલ.ધર્મેન્દ્રસિહ પરમાર અને યુપીએલ કંપનીના અધિકારી તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો સહીત ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જતન ના મહા સેવા યજ્ઞ માં સહ ભાગી થયા હતા.