Published By:-Bhavika Sasiya
એટલાન્ટિક મહાસાગરના તળિયે ટાઇટેનિક જહાજ પાસે ટાઇટન સબમરીનનો કાટમાળ પણ પડ્યો છે, સાથે તેમાં 4 અબજપતિઓ સહિત 5 લોકોના મૃતદેહો છે. આ 5 વ્યક્તિઓ એડવેન્ચર માટે ઊંડા સમુદ્રમાં ફરવા ગયા હતા, જ્યાં તેમની સબમરીનમાં વિસ્ફોટ થઈ ગયો.
સમુદ્રના ઊંડાણમાં અવકાશ જેવો ભય છે. માત્ર એક ભૂલ અને તે બધું ગળી જાય છે. આટલો ભય હોવા છતાં ઊંડા સમુદ્રમાં પર્યટન વધી રહ્યું છે. સમુદ્રમાં પર્યટન માટે એક એક ટિકિટ કરોડોમાં વેચાઈ રહી છે.
જાણીશું દરિયાની ઊંડાઈ :
- મોટાભાગ ના સજીવો સપાટીની નજીક રહે છે, હવા અને પ્રકાશ મળે છે.
- કોઈપણ સાધન વિના 831 ફૂટ નીચે જવાનો માનવીએ રેકોર્ડ બનાવ્યો છે. આટલું નીચે 26 ગણું દબાણ હોવાથી માનવીના ફેફસા ફાટી શકે છે.
- 3280 ફૂટ નીચે જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી અને ઘોર અંધારું હોવાથી મિડનાઈટ ઝોન કહે છે.
- આથી નીચે એટલે કે 10,040 ફૂટ નીચે સ્તનજીવી પ્રાણી જોવા મળતું નથી, માત્ર ક્યુવીયર બીક્ડ વ્હેલ જ તરવામાં સક્ષમ છે.
- 12,500 ફૂટ નીચે ટાઇટન સબમરીનનો કાટમાળ પણ પડ્યો છે. જે આશરે 3.8 કી.મી. નીચે છે.
- 35,876 ફૂટ નીચે ની ઊંડાઈને ચેલેન્જર ડીપ કહેવામાં આવે છે. મનુષ્ય પોતાની સબમરીન સાથે એટલે પહોંચવામાં સફળ રહ્યો છે, જે સપાટીથી 11 કી.મી.નીચે છે.
- નોંધવું રહ્યું કે મનુષ્ય સમુદ્રની અંદરના 5-10% ભાગ જ એક્સપ્લોર કરી શક્યો છે. બાકીના રહસ્યો જાણવાના હોવાથી ડીપ-સી એક્સપ્લોરેશન ઝડપથી વધી રહ્યું છે.
ડીપ-સી ટુરિઝમનું વધતો મોહ :
- 1943માં સ્કૂબાની શોધ સાથે સમુદ્ર ખેડવાનું શરૂ થયું …હાલમાં 6 મિલિયન ટ્રેઈન્ડ સ્કૂબા ડ્રાઈવર્સ છે. જે તમને 1000 ફૂટ સુધી નીચે લઇ જઈ શકે છે.
- હેલ્મેટ ટાઇવિંગ નું પણ ચલણ વધ્યું છે, જેથી વ્યક્તિ તળેટીમાં ચાલી શકે છે.
- ઊંડા સમુદ્રમાં એક્સપ્લોર કરવા માટે હાલમાં સબમર્સીબલ રાઈડનો ટ્રેન્ડ વધ્યો છે. જે મોટી અને નાની સબમરીન હોય છે અને ઊંડાણ માં જવા માટે આરામદાયક છે.
- માલદિવનાં ફોર સીઝન રિસોર્ટ ડીપ લાઈટનો ઉપયોગ કરે છે. જેમાં પાઇલોટ સાથે બીજા બે વ્યક્તિ જઈ શકે છે. આમાં અંદરની દુનિયા જોઈ શકાય છે. જેની કિંમત આશરે સવા લાખ રૂપિયા છે.
- દરિયાઈ મુસાફરી કરવા માટે કંપનીઓની અલગ-અલગ કિંમત હોય છે. કંપનીઓ અન્ય પેકેજ પણ ઑફર કરે છે. તેમની કિંમત કરોડોમાં પહોંચે છે.
નિષ્ણાતો કહે છે કે સમય સાથે માંગ વધશે તો તેની કિંમત માં ઘટાડો થવાની શક્યતા છે.
ટાઇટેનિક દુર્ઘટના બાદ તેના નિયમો નક્કી કરવામાં આવશે…પરંતુ સવાલ એ છે કે, આ ઘટનાની તપાસ કઈ કંપની સંભાળશે..? આ ઘટના આંતરરાષ્ટ્રીય સરહદ પાર બની અને તેમાં સફર કરનારા નાગરિકો પણ ઘણા દેશના હતા. જેથી આવી સબમર્સીબલ દુર્ઘટના માટે કોઈ સ્પષ્ટ નિયમ કે કાયદો નથી.
યુ. એસ. કોસ્ટ ગાર્ડના રિયર એડમિરલ મોગરેનું કહેવું છે કે આ ઘટનામાં સામેલ દેશોની સરકાર વધુ તપાસ માટે બેઠક કરી રહી છે. આ બેઠકમાં દુર્ઘટનાની તપાસમાં શું શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું? સાથે અંડરવોટર ટુરિઝમને લગતા નિયમો અને રેગ્યુલેશનની ચર્ચા થઈ શકે છે.