- સ્તંભેશ્વર તીર્થ ખાતે શનિવારી અમાવસ્યાએ લાખો શિવભક્તો ઉમટશે
- ભરૂચ જિલ્લાના ક્ંબોઇ ખાતે બિરાજમાન સ્તંભેશ્વર મહાદેવનો દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવ કરે છે અભિષેક
- શ્રાવણ માહિનામાં સ્વયંભૂ શિવલિંગના લાખો લોકો દર્શન કરી મેળવે છે વિશેષ આશીર્વાદ
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલા કાવી – કંબોઇના શિવ મહાતીર્થ સ્તંભેશ્વર ખાતે તા.૨૭ શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યા સહિત ૧૨ વર્ષ બાદ યોજનારા દુર્લભ સંયોગે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડશે. દરિયામાં આવતી ભરતીના કારણે મંદિરના ગુંબજ સુધી પાણી આવી જાય છે. ઉપરાંત શ્રાવણના અંતિમ શનિવારે અમાવસ્યાએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પાડવાની સંભાવનાને કારણે વહીવટી અને પોલિસ તંત્ર કામે લાગી ગયું છે.

કોરોના મહામારી બાદ આ વર્ષે કંબોઇના સ્તંભેશ્વર તીર્થ ખાતે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. આ વર્ષે શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યા , માઘ , નક્ષત્ર , શિવ યોગ સર્જાય છે. ૧૨ વર્ષ બાદ આ સંયોગ સર્જાયો છે. સ્કંદપુરાણ મુજબ આ ઉપરાંત શનિવાર, અમાવસ્યા સંક્રાન્તિ અને વ્યતિપાતમાં પુસ્કર નામનો યોગ સર્જાય છે. આવો સંયોગ વર્ષો બાદ સર્જાય છે.
સ્કંદપુરાણમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સ્તંભેશ્વર તીર્થ ખાતે આ દિવસે શિવપૂજા, સ્નાન, દાન તપ વગેરનું અનેરું મહત્વ છે. ઉપરાંત આ તીર્થ ખાતે કરાયેલું પિન્ડદાન ગયા તીર્થ સમાન ફળદાયક છે. શિવપુત્ર કાર્તિકીયએ તાડકાસુરના વધ બાદ પાપમુક્તિ માટે અહી સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આ તીર્થ સદીઓ સુધી ગુપ્ત રહયૂ તેથી તેને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં શિવપૂજા ઉપરાંત શ્રીહરી અને સૂર્યદેવને અર્ધ્ય અતિ પુણ્ય દાયક છે.અહીં કરાયેલું સ્નાન પ્રયાગ અને દાન કરૂક્ષેત્રમાં કરાયેલા કર્મ સમાન મનાય છે.શનિવારી અમાવસ્યા અને સુલભ સંયોગના કારણે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે તેવી સંભાવનાથી ભરૂચ વહીવટી અને પોલિસ તંત્ર સજાગ બની ગયું છે .
સ્તંભેશ્વર તીર્થ કંબોઇ ખાતે ટ્રેન અને સડક માર્ગે જંબુસર આવી કાવી- કંબોઇ જઇ શકાય છે . અહીં દર્શનાર્થીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા કરવામાં આવે છે.

સ્તંભેશ્વર ખાતે શનિવારે યોજાનારા કાર્યક્રમ
- શ્રાવણના પ્રારંભથી ચાલતા અતિમહારૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ
- શુક્રવાર સાંજથી શનિવાર આખી રાત સુધી શિવ રૂદ્રાભિષેક
- ભરતીના સમય દરમિયાન સમુદ્ર અભિષેક કરશે
ભરતી તથા ઓટનો સમય
- શુક્રવાર રાત્રે આઠ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી દર્શન
- શનિવારે વહેલી સવારે ૪ વાગ્યા બાદ ભરતી હોવાથી દર્શન બંધ
- સાંજે ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી ઓટનો સમય હોવાથી શિવલિંગના દર્શન કરી શકાશે