Published By : Parul Patel
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ભારતનો તિરંગો લહેરાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. હાલમાં તે 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે, અને 14મી ઓગસ્ટના ચંદ્રયાન-3 માટે ખૂબ જ મોટો અને મહત્ત્વનો દિવસ છે. ઈસરો આજે ચંદ્રયાન-3ને ચંદ્રની નીચેની કક્ષામાં મોકલતા હવે વૈજ્ઞાનિકો બેંગલુરુમાં બેસીને આ આખરી તબક્કાના મહત્ત્વના કામને અંજામ આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-3 14મી જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને 23મી ઓગસ્ટના ચંદ્રયાન-3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. જયારે રશિયાએ પણ ચંદ્ર માટે પોતાનું મિશન લોન્ચ કર્યું છે, જેનું નામ લુના-25 છે અને એવું માનવામાં આવે છે કે તે ચંદ્રયાન-3 પહેલાં ચંદ્ર પર લેન્ડ કરશે.
ચંદ્રયાન-3 ભારત એટલે કે ઈસરો માટે ખુબ મહત્વનો પ્રોજેક્ટ છે. આવકાશી મિશન આબોહવાથી માંડીને કલાયમેન્ટ ચેન્જ અન્ય બાબતો માટે પણ ભારત માટે ચંદ્ર યાન-3 મિશન મહત્વનું છે.