Home Bharuch Devotional 16 સંસ્કારમાંથી એક ‘ગર્ભ સંસ્કાર’..! જાણો તેનું મહત્વ…

16 સંસ્કારમાંથી એક ‘ગર્ભ સંસ્કાર’..! જાણો તેનું મહત્વ…

0

Published By : Disha Trivedi

હિન્દુ સંસ્કૃતિમાં કુલ 16 સંસ્કારોને સ્થાન આપવામાં આવ્યું છે. જે આ મુજબ છે : ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, વેધન, દર્શન, પ્રાશન, ચૂડાકર્મ, ઉપનયન, સંકર, કર્મ પ્રવેશ, પ્રસ્થાન, અંત્યવિધિ, પિંડીકરણ અને શ્રાદ્ધ.

ગર્ભ સંસ્કાર એ મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શારીરિક વિકાસ માટે, ગર્ભના મગજના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો ગર્ભ સંસ્કારને ઓછા શબ્દોમાં વર્ણવવામાં આવે તો તેનો અર્થ ગર્ભધારણના સમયથી બાળકને શિક્ષિત કરવું. એ છે.

આયુર્વેદની અંદર આયુર્વેદિક ગર્ભ સંસ્કારની વાત કરીએ તો તે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. આ મુજબ, બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં યોગદાન આપવા માટે, સ્ત્રીએ તેના જીવનને સંયમિત કરવું જોઈએ.

ભારતીય હિંદુ સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કારનું મહત્વનું સ્થાન છે. મહાભારતમાં અર્જુનના પુત્ર અભિમન્યુને માતાના ગર્ભમાંથી ચક્રવ્યૂહનો ઉપદેશ મળ્યો હતો. તેને ગર્ભ સંસ્કાર તરીકે પણ જોવામાં આવે છે.

ગર્ભ સંસ્કાર વખતે શું ધ્યાનમાં રાખવું :

સગર્ભાવસ્થા દરમિયાન માતા જેટલી ખુશ અને સકારાત્મક હોય છે, તે બાળક માટે સારી હોય છે. ગર્ભ સંસ્કારનો અભ્યાસ ગર્ભના સંપૂર્ણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં ઘણી મદદ કરે છે.

ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે :

હળવું સંગીત સાંભળો, ખાસ કરીને વાંસળી, વીણા વગેરેની ધૂન…
ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન અને યોગ. સકારાત્મક વિચાર અને તણાવમુક્ત રહેવું.
રચનાત્મક કાર્ય પર ધ્યાન આપો. ગર્ભ સાથે અર્થપૂર્ણ વાતો કરો.
ખાવામાં આવતા ખોરાક પર વિશેષ ધ્યાન આપો.
શારીરિક રીતે સક્રિય રહો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version