Published By : Patel Shital
- કોંગ્રસના રાષ્ટ્રીય નેતા જગદીશ ટાઇટલર સામે હિંસા, હત્યા સહિતની કલમો લગાવાઈ…
દેશમા 1984 ના અરસામાં થયેલ શીખ વિરોધી રમખાણોના આરોપી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જગદીશ ટાઇટલર સામે CBI તપાસ કરી રહી છે ત્યારે CBI એ ચાર્જ શીટ દાખલ કરી હતી.
આ ચાર્જશીટની નોંધ દિલ્હીની સ્પેશિયલ કોર્ટમા આવનાર બીજી જૂનના રોજ કરવામાં આવશે.
CBI દ્વારા કોંગી નેતા જગદીશ ટાઇટલર સામે દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં રાયોટિંગ ગેરકાયદેસર એકઠા થવું, ભડકાવવા, હત્યા, ધાર્મિક સ્થાનકને નુકશાન કરવું વગેરે કલમો લગાવાઈ છે. આ બનાવમાં દિલ્હી માં તા 01-11-1984 માં શીખ વિરોધી રમખાણ થયાં હતાં જેમાં 3 શીખો ઠાકુર સિંઘ, બાદલ સિંઘ અને ગુરચરણ સિંઘના મોત નીપજ્યા હતા.