Published By : Parul Patel
જે લોકો ચંદ્ર કેલેન્ડરનું પાલન કરે છે તેઓ ચૈત્ર મહિના (માર્ચ-એપ્રિલને અનુરૂપ) વર્ષનો પ્રથમ મહિનો માને છે.
વિક્રમ સવંત 2080 શરૂ થવા માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ્યોતિષીઓ ના કહેવા અનુસાર આ 7 વસ્તુઓ જો તમે ઘરમાં વસાવી લેશો તો તમારું આવનારું વર્ષ અત્યંત શુભ અને લાભદાયી નીવડશે.
તો આવો જાણીએ, શુભફળ અને શુભ પરિણામ આપનારી કઈ છે આ સાત વસ્તુઓ :

તુલસી નો છોડ :
હિન્દુ ધર્મમાં તુલસીને માતા કહી તેનું પૂજન કરવામાં આવે છે, નવા વર્ષે તમે કોઈ પણ ઇન્ડોર પ્લાન્ટ તમે ઘરમાં લાવી શકો છો, જેને શુભ માનવામાં આવે છે. તુલસી એમાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

ધાતુનો હાથી :
ધાતુના હાથીને નવા વર્ષે ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. તદુપરાંત, ઘરમાં શાંતિ અને સુખ , સમૃદ્ધિ પણ બને છે.

લઘુ નારિયેળ :
નવા વર્ષે નારિયેળ લાવી, તિજોરીમાં મૂકવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે.

મોતી શંખ :
મોતી શંખને ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે, તેની પૂજા કરીને નવા વર્ષે તિજોરીમાં મૂકવાથી પ્રસિદ્ધિ અને ધનની ક્યારેય ખોટ પડતી નથી.

ધાતુનો કાચબો :
વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, વિક્રમ સવંત 2080 પેહલા પીતળ, કાસાં અને ચાંદીના કાચબાની ખરીદી કરવી.

લાફીંગ બુઢ્ઢા :
નવા વર્ષે લાફીંગ બુઢ્ઢાને ઘરની ઉત્તર – પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી.

મોર પંખ :
ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મોરપંખ જ્યાં હોઈ છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. અને ઘર ખશીઓથી ભરાય છે. પરંતુ, મોરપંખ ૧ થી ૩ જ હોવા જોઈએ.