માતા દુર્ગાનું બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણી છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેમણે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા અને આધ્યાત્મિક અભ્યાસ કર્યો હતો, જેના કારણે તેમને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડલ છે.
નારદજીના આદેશ મુજબ ભગવાન શિવને પતીસ્વરૂપે પામવા માટે દેવીએ અનેક વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. આ બધા વર્ષો દરમિયાન એમણે જીવિત રહેવા માટે એમણે માત્ર ફળ – ફૂલનો જ આહાર તરીકે ઉપયોગ કર્યો હતો. આ તપસ્યા દરમિયાન દેવીએ કઠિન ઠંડી , ભારે વરસાદ અને કઠોર ગરમી સહન કર્યા હતી. અંતે એમની તપસ્યા સફળ થઇ હતી. આ રીતે વર્ષો સુધી અતિશય કઠિન ગણાય એવી તપસ્યા કરી હતી. જે લોકો મા બ્રહ્મચારિણીને ખરા અંતરથી ભજે છે , એમને પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને સામાજિક જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે . તપ , ત્યાગ , વૈરાગ્ય , સદાચાર અને સંયમ જેવા ગુનો માણસને બહુ મોટી સિદ્ધિ અપાવે છે . એટલું જ નહિ પણ આ ગુણો જેનામાં હોય એનામાં જીવતેજીવ દૈવી અંશ રહેલો હોય છે . આ દિવસે સાધકો કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે પણ સાધના કરે છે . આ શક્તિ જાગ્રત થવાથી સાધકનું જીવન સફળ થઇ શકે અને એની સામે આવનારા કોઇપણ પ્રકારનાં વિઘ્નનો સામનો આસાનીથી કરી શકે છે. એવી ધાર્મિક માન્યતા સાધકોમાં રહેલી છે.

મા બ્રહ્મચારિણીની પૂજા કઈ રીતે ક૨શો ?
મા બ્રહ્મચારિણીને સફેદ રંગ પસંદ છે . આથી બની શકે તો પૂજા દરમિયાન શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરવા , લાલ રંગના કપડા ઉપર માતાજીની મૂર્તિ અથવા ફોટો રાખીને જમણા હાથમાં ફૂલ અને જળ ધારણ કરી કળશ ઉપર માતાજીનું આહવાન કરવું જોઈએ. ત્યાર બાદ ધૂપ , દિપ , અક્ષત , જળ અને નૈવેદ્યથી માતાનું પૂજન અર્પિત કરવું. મા ને સફેદ વસ્તુ જેવી કે ખાણ , સાક૨ અને પંચામૃતનો ભોગ ધરાવવો જોઈએ.