Published by : Rana Kajal
- ગુજરાત ઉર્જા નિગમના ટેક્નિકલ કર્મચારીઓની માંગણીઓ નહિ સંતોષાતા 22મીથી અંધારપટનું એલાન
- સમાધાન નહિ થાય તો દિવાળીએ જ પ્રજાને સરકાર તરફથી અંધકારની મળશે ભેટ
રાજ્યના ઉર્જા નિગમના ટેક્નિકલ કર્મચારીઓની હડતાલ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે.સમાન કામ સમાન વેતન, સેફટી એલાઉન્સ, વર્ગ 4 માંથી ત્રણમાં સમાવેશ સહિતની માંગણીઓ મુદ્દે જીયુવીએનલ અને જેટકોના કર્મચારીઓએ દેખાવો, વિરોધ પ્રદર્શન કર્યા હતા.રાજ્ય સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જેમાં કમિટી બનાવવામાં આવી હતી. જોકે તે બાદ પણ ટેક્નિકલ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
હવે સામી દિવાળીએ રાજ્યના ટેક્નિકલ કર્મચારીઓએ 22મી થી અંધાર પટ કરવાની ચીમકી આપી છે. જેને લઈ સરકારના કારણે રાજ્યની 6 કરોડ પ્રજાને પ્રકાશના પર્વે જ અંધારા ઉલેચવાનો વારો આવી શકે તેમ છે.
આજે શુક્રવારે ફરીથી GUVNL મેનેજમેન્ટ સાથે કર્મચારી સંગઠનોની બેઠક મળનારી છે. અને એ મિટિંગમાં જો કોઈ ચોક્કસ સમાધાન નહીં મળે તો નક્કી થયા મુજબ ઉર્જા મંત્રી સાથે અંતિમ મિટિંગ કરી પ્રશ્ર્નોનું સચોટ સમાધાન મંગાવામાં આવશે.જો ત્યાંથી પણ કોઈ જ નક્કર પરિણામ ન મળે તો 22 ઓક્ટોબરથી અંધારપટ કરવા કર્મચારીઓએ તૈયારી બતાવી છે.
