Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuch7 સપ્ટેમ્બર, 2022 ને બુધવારે પરિવર્તિની એકાદશી

7 સપ્ટેમ્બર, 2022 ને બુધવારે પરિવર્તિની એકાદશી

વહેલી સવારે લક્ષ્મીજી અને વિષ્ણુજીની મૂર્તિ પર ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રોચ્ચાર સાથે ગાયના દૂધથી અભિષેક કરો

ધર્મગ્રંથો પ્રમાણે એક વર્ષમાં 24 એકાદશી તિથિ હોય છે. આ બધાનું અલગ-અલગ મહત્ત્વ અને નામ પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. જેમાં ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. થોડાં ગ્રંથોમાં તેને ડોલ અગિયારસ કે જલઝૂલની એકાદશી પણ કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી અંગે પંચાંગમાં ભેદ છે. થોડી જગ્યાઓમાં આ એકાદશી 6 સપ્ટેમ્બર તો અમુક સ્થાને 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. એકાદશીના દિવસે અમુક ખાસ કાર્યો કરવાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

1. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરો

શુભફળ મેળવવા માટે પરિવર્તિની એકાદશીએ સવારે સ્નાન કર્યા પછી પહેલાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તે પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જેના દ્વારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે અને જો ઘરમાં કોઈ પ્રકારનો દોષ હોય તો તે પણ દૂર થઈ શકે છે.

2. વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો

જો તમે રૂપિયાની તંગીથી પરેશાન છો તો આ એકાદશીએ સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રતિમા એક સાફ સ્થાને સ્થાપિત કરો અને ગાયના દૂધથી અભિષેક કરો. આવું કરતી સમયે ૐ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતાં રહો.

3. પીળા ફળનું દાન કરો

ભગવાન વિષ્ણુને ગુરુ ગ્રહના સ્વામી પણ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ સ્થાને હોય તો તે એકાદશી તિથિએ પીળા ફળનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું જોઈએ, પરંતુ તેના પહેલાં આ ફળ ભગવાનના ચરણોમાં રાખવું જોઈએ. તેના પછી પણ દાન કરવું જોઈએ.

4. સંતાન ગોપાલ સ્ત્રોતનો પાઠ કરો

જો કોઈ દંપત્તિને સંતાનની ઇચ્છા છે તો તેણે એકાદશી તિથિએ સંતાન ગોપાલ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેના માટે પહેલાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો અને તે સ્થાને બેસીને આ સ્ત્રોતનો પાઠ કરો. ભગવાનની કૃપાથી જલ્દી જ તમારી આ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

5. બ્રાહ્મણને વસ્ત્રનું દાન કરો

પરિવર્તિની એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કોઈ યોગ્ય બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન કરો. તેનાથી ભગવાનની કૃપા તમારા ઉપર બની રહેશે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહેશે. શક્ય હોય તો બ્રાહ્મણને પોતાની ઇચ્છા પ્રમાણે ભોજન સામગ્રીનું દાન પણ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!