તારીખ-૩૧મી ઓક્ટોબરથી ૬ નવેમ્બર પ્રભાતસિંહ મહિડાના માતૃશ્રી સ્વ.શાંતાબા મહીડાના સ્મરણાર્થે અને દત્ત સાર્વજનિક કેળવણી મંડળ કરા હાઇસ્કુલના લાભાર્થે શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે અશ્વિનસિંહ વિહરીયાના નિવાસ સ્થાનેથી પોથીયાત્રા નીકળી વાલિયા હાઉસિંગ બોર્ડ કથા સ્થળે પહોંચી હતી અને જ્યાં અંકલેશ્વરના કથાકાર ભાવેશ દાસ બાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથામાં કૃષ્ણ જન્મ,રામ જન્મ અને તુલસી વિવાહ અને પરમ પૂજ્ય રંગ અવધૂત જયંતીનો પ્રસંગ ઉજવાયો હતો આ કથાનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
