ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો રવિવારે બપોરે 1.30 વાગ્યે સામસામે ટકરાશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની આશા પર કોઈ સંકટ ન આવે તે માટે આ મેચ જીતવા ઈચ્છશે. T20 વર્લ્ડ કપ 2022માં, ભારતનો સામનો સુપર-12 તબક્કાની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામે થશે. ટીમ ઈન્ડિયા અત્યારે પોતાના ગ્રુપમાં ટોપ પર છે
શું ઝિમ્બાબ્વે ઉલટફેર કરી શકે ?
જ્યારે પણ ઝિમ્બાબ્વે કોઈ પણ આઈસીસી ઈવેન્ટમાં આવે છે ત્યારે તે એક-બે મેચમાં ચોક્કસપણે આવી રમત બતાવે છે ત્યારે બધાને આશ્ચર્ય થાય છે. આ વખતે પણ એવું જ થયું જ્યારે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી. આ જ કારણ છે કે ઝિમ્બાબ્વેને હળવાશથી લેવું ભૂલ સાબિત થશે. 27 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ 130 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન 129 રન બનાવી શક્યું હતું અને ઝિમ્બાબ્વેએ એક રનથી મેચ જીતી લીધી હતી.
ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો?
T20 વર્લ્ડ કપ 2022માં આ સમયે સ્થિતિ એવી છે કે ભારતનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. પરંતુ પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતશે તો ટીમ ઈન્ડિયાના 5 મેચમાં 3 જીત, 2 હાર અને 6 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં આ જીત સાથે ઝિમ્બાબ્વે 2 જીત, 2 હાર અને એક મેચ વિનના મેચ સાથે 5 પોઈન્ટ બનાવી લેશે. યાદ રહે કે ગ્રુપ-2માં તમામ ટીમોએ એક-એક મેચ રમવાની છે, જે માત્ર રવિવારે જ રમાવાની છે. રવિવારે દક્ષિણ આફ્રિકા-નેધરલેન્ડ, ભારત-ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન-બાંગ્લાદેશની મેચો યોજાવાની છે. અત્યારે ભારતના 6 પોઈન્ટ છે, દક્ષિણ આફ્રિકાના 5 અને પાકિસ્તાનના 4 પોઈન્ટ છે.
- જો ભારત ઝિમ્બાબ્વે સામે હારે છે, તો તેના 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે 6 પોઈન્ટ હશે. તેનો નેટ રન રેટ પણ ઘટશે.
- જો પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે છે તો તેના 5 મેચમાં 3 જીત અને 2 હાર સાથે 6 પોઈન્ટ થઈ જશે. તેનો નેટ રન રેટ ભારત કરતા સારો રહેશે. એટલે કે પાકિસ્તાન સેમીફાઈનલમાં જઈ શકે છે.
- જો દક્ષિણ આફ્રિકા તેમની મેચ જીતે છે, તો તેના 7 પોઈન્ટ હશે અને તે સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે
- ભારતની હાર, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની જીત ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે કે ઝિમ્બાબ્વે સામેની ટીમ ઈન્ડિયાની આ મેચ પણ એક રીતે ઘણી મહત્વની મેચ બની જાય છે.
- ઝિમ્બાબ્વે ભારતને હરાવે છે તો બીજી તરફ બાંગ્લાદેશ પણ પાકિસ્તાનને હરાવે છે. અહીં દક્ષિણ આફ્રિકા જીતશે, પછી નેટ-રન રેટની રેસ થશે અને ભારત-બાંગ્લાદેશમાંથી કોઈપણ એક ટીમ સેમિફાઈનલમાં જશે
- અપેક્ષા મુજબ જો ટીમ ઈન્ડિયા મેચ જીતે છે તો તેના 8 પોઈન્ટ થઈ જશે અને તે ગ્રુપમાં ટોપ પર રહીને સેમીફાઈનલમાં પહોંચી જશે.