Sunday, September 14, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરાજધાની દિલ્હીમાં ચોંકાવનારો કિસ્સો…50% બળી ગયેલ વ્યક્તિ ગુમ…

રાજધાની દિલ્હીમાં ચોંકાવનારો કિસ્સો…50% બળી ગયેલ વ્યક્તિ ગુમ…

  • દિલ્હી હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો

દિવાળીની રાત્રે લાગેલી આગમાં 50 ટકા દાઝી ગયા બાદ લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજેશ શાહ ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ગુમ થયેલા વ્યક્તિના પિતરાઈ ભાઈ રાજુ સરદાના દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજી પર આશ્ચર્ય વ્યક્ત કરતા દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે માણસને શોધી કાઢે અને તેને 30 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરે. કોર્ટે દિલ્હી સરકાર, બાબુ જગજીવન રામ હોસ્પિટલ અને એલએનજેપી હોસ્પિટલ પાસેથી પણ જવાબ માંગ્યો છે.

રાજેશના દાઝી જવાની માહિતી મળતાં, તેની પિતરાઈ બહેન મુક્તા સૂદ 26 ઓક્ટોબરે પહેલા બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં ગઈ હતી અને ત્યાં તેને તપાસ અધિકારી સબ ઈન્સ્પેક્ટર વીરેન્દ્ર કુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેના ભાઈને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તે એલએનજેપી હોસ્પિટલ પહોંચી, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના ભાઈ નામના કોઈને દાખલ કરવામાં આવ્યા નથી. આ તેમના માટે આઘાતજનક છે.

વેસ્ટ પટેલ નગરમાં રહેતી મુક્તાએ અમેરિકામાં નોકરી કરતા તેના ભાઈ રાજુ સરદાનાને રાજેશના ગુમ થવા અંગે જણાવ્યું હતું અને તે અમેરિકાથી ભારત આવ્યો હતો. અગાઉ મુક્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રાજુ સરદાનાએ એડવોકેટ સુનીલ કુમાર તિવારી મારફત અરજી દાખલ કરી આરોપ લગાવ્યો કે પોલીસ તેમના ભાઈને શોધવામાં નિષ્ફળ રહી છે અને તેમની ફરજ બજાવી રહી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!