- યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર એસ.એ.મોટર્સ પાસે મહિન્દ્રા શો રૂમની સામે મારુતિ વાન વાહન ચાલકે રાહદારી યુવાનને ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું
ગતરોજ સવારના અરસામાં અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર એસ.એ.મોટર્સ પાસે મહિન્દ્રા શો રૂમની સામે અજાણ્યા ૩૨ વર્ષીય યુવાન માર્ગ ઓળંગી રહ્યો હતો તે દરમિયાન અંદાડાથી ખરોડ જતા મારુતિવાન નંબર-જી.જે.૧૬.એ.પી.૮૧૩૩ના ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત યુવાનને ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




