ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં સોમવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 20 લોકોના મોત થયા હતા અને 300 ઘાયલ થયા હતા.
સોમવારે ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 20 લોકોના મોત થયા છે. તો 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાની જકાર્તા સહિત આસપાસના વિસ્તારોમાં લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. ઈમારતો ખાલી કરાવવામાં આવી રહી છે. લોકોને સલામતી માટે રસ્તા પર ઉતરવાનું કહેવામાં આવ્યું છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જાવાના સિઆનજુરમાં હતું. એક અધિકારીએ જણાવ્યું કે આ જ હોસ્પિટલમાં 20 લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ જણાવ્યું હતું કે ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય જાહેર સુવિધાઓ સહિત અનેક ઇમારતોને નુકસાન થયું છે. જાનહાનિ અને નુકસાન અંગેની માહિતી હજુ એકત્ર કરવામાં આવી રહી છે.