Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalપાકિસ્તાન આર્મી ચીફ બનતાની સાથે જ જનરલ મુનીરે ભારત વિરુદ્ધ ઓકયું ઝેર,...

પાકિસ્તાન આર્મી ચીફ બનતાની સાથે જ જનરલ મુનીરે ભારત વિરુદ્ધ ઓકયું ઝેર, કહ્યું- હુમલો થાય તો યુદ્ધ માટે તૈયાર છીએ…

તાજેતરમાં પાકિસ્તાનમાં આર્મી ચીફનું પદ સંભાળનાર જનરલ અમીસ મુનીરે ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાનના નવનિયુક્ત આર્મી ચીફ જનરલ મુનીરે કહ્યું હતું કે જો તેમના દેશ પર હુમલો કરવામાં આવે છે, તો પાકિસ્તાની સશસ્ત્ર દળો તેમની માતૃભૂમિના દરેક ઇંચની રક્ષા જ નહીં કરે પરંતુ દુશ્મનને પણ જડબાતોડ જવાબ આપશે.

મુનીરે નિયંત્રણ રેખા (એલઓસી)ના રખચિકરી સેક્ટરમાં સરહદી વિસ્તારોની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન સૈનિકોને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં જ એ નોંધ્યું છે કે ગિલગિટ બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ દ્વારા અત્યંત બેજવાબદારીભર્યા નિવેદનો આવ્યા છે. તેમણે કહ્યું, ‘હું સ્પષ્ટ કરી દઉં કે જો ક્યારેય યુદ્ધ લાદવામાં આવે છે તો પાકિસ્તાનના સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે તૈયાર છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!