- 3 લાખ લોકોમાંથી નામ પસંદ…
જાપાનના અબજોપતિ યાસુકા મીઝાવાએ ડિયર મૂન મિશનની શરૂઆત કરી હતી. તેણે ચંદ્રની યાત્રા પર જવા ઇચ્છુક લોકો પાસેથી રજીસ્ટ્રેશન માંગ્યું હતું. વિશ્વભરમાંથી કુલ 3 લાખ નોંધણીઓ આવી હતી, જેમાંથી સૌથી વધુ સંખ્યા ભારતીયોની હતી. 3 લાખ લોકોમાંથી કુલ 8 લોકોને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ‘બાલવીર’માં બાલવીરનું પાત્ર ભજવનાર બાળ કલાકાર દેવ જોશીનું પણ નામ છે.
SAB ટીવીના ફેમસ ટીવી શો ‘બાલવીર’માં બાલવીરનું પાત્ર ભજવનાર બાળ કલાકાર દેવ જોશી ટૂંક સમયમાં ચંદ્રની સફર પર જવાના છે. જાપાનના અબજોપતિ દ્વારા ટ્રિપને ફાઈનલ કરવામાં આવી છે. ટ્રિપ પર જઈ રહેલા લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં દેવનું નામ પણ સામેલ છે. દેવે પોતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ડિયર મૂન પ્રોજેક્ટ હેઠળ, દેવ અવકાશમાં જનાર સૌથી યુવા વ્યક્તિ બનશે. તેઓ આ સફર માટે ખૂબ જ ઉત્સાહિત છે.