Published by : Rana Kajal
• વીમા કંપનીને 3 લાખ ચૂકવવા આદેશ…
મહિલા તરફી ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદો આવ્યો. અને વીમા કંપની ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને વીમાના 3 લાખના 80 ટકા નાણાં અરજી કર્યાની તારીખથી ચુકાદો આવ્યો ત્યાં સુધી 8 ટકા વ્યાજ સાથે અને 5 હજાર રકમ શારીરિક માનસિક ત્રાસ અને 3 હજાર ખર્ચના ચૂકવવા આદેશ કર્યો.
સામાન્ય રીતે સરકારી યોજના લોકોની સહાય માટે તો બનાવી દેવાય છે. પણ તે સહાય લોકો સુધી પહોંચે છે કે નહીં તે જોવાની કોઈ દરકાર લેતું નથી. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં અમદાવાદના વટવામાં રહેતા એક વ્યક્તિએ સરકારની જ્યોતિર્ગમય યોજનાનો લાભ લીધો. જોકે તેમના મૃત્યુ બાદ થયુ તે બાદ બેંક અને કંપની સહાય આપવા ગલ્લા તલ્લા કરવા લાગી. આખરે સમગ્ર મામલો ગ્રાહક તકરાર નિવારણ ફોરમમા પહોંચ્યો હતો. જ્યાં સાડા ચાર વર્ષની લડત બાદ આખરે ફરિયાદી તરફથી ચુકાદો આવતા સહાયના પૈસા ચૂકવવા આદેશ કરાયો છે.