Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરામા સાંતાક્લોઝ પર હુમલો...

વડોદરામા સાંતાક્લોઝ પર હુમલો…

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અવધૂત સોસાયટીમાં નાતાલની ઉજવણી પૂર્વે સાંતાક્લોઝના વેશમાં વધામણાં આપવા ગયેલી એક મહિલા સહિત 4 વ્યક્તિ પર કેટલાક માથાભારે યુવકોએ ‘આ હિન્દુ વિસ્તાર છે,’ એમ કહીને હુમલો કર્યો હતો. હુમલામાં એક વ્યક્તિને હાથમાં ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે મોડી રાત્રે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ક્રિશ્ચિયન સમાજના અગ્રણીઓએ પહોંચી જઈને રજૂઆત કરી હતી અને અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઘરમાં ઉજવણી ચાલતી હતી

આગામી 25 ડિસેમ્બરના રોજ નાતાલનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઊજવાય એ માટે પોલીસ-બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ, મોડી રાત્રે નાતાલ પૂર્વે મકરપુરા વિસ્તારની અવધૂત સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવારના નિવાસસ્થાને શશિકાંત ડાભી સાંતાક્લોઝની વેશભૂષા ધારણ કરી વધામણાં આપવા ગયા હતા. તેમની સાથે ખ્રિસ્તી સમાજના કેટલાક અગ્રણીઓ પણ એનાં વધામણાંની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ શાંતિપૂર્ણ રીતે ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઉજવણી કરી રહ્યા હતા.

ફાધરનાં કપડાં ફાડી નાખ્યાં

દરમિયાન અચાનક કેટલાક માથાભારે ઈસમોનું ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને ખ્રિસ્તી વધામણાંની ઉજવણી રોકી દીધી હતી તેમજ સાંતાક્લોઝ પર હુમલો કર્યો હતો, ડ્રેસ કાઢી નાખવાની ફરજ પાડી હતી. આ ઉજવણીમાં ભાગ લેનારા તમામને ધમકી આપી હતી કે આ વિસ્તાર હિન્દુઓનો છે, જેથી અહીં તમારે આ પ્રકારની ઉજવણી કરવાની નથી. એમાં સામસામે ઝપાઝપીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ ઉપસ્થિત ફાધરનાં કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

30થી 35 જેટલા ટોળાએ હુમલો કર્યો

ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ રેવ માર્ટિન પ્રિટ્રિશને જણાવ્યું હતું કે મકરપુરા અવધૂત સોસાયટીમાં અમારા મેથોડિસ ચર્ચનાં ખ્રિસ્તી ભાઇઓ અને બહેનો નાતાલનાં વધામણાં માટે ગયાં હતાં. એ સમયે ખ્રિસ્તી સમાજના મેથોડિસ મંડળના અગ્રણી સહિત ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમે ખ્રિસ્તી સમાજના ઘરે પ્રેયર માટે જઈએ છે. મોડી રાત્રે અવધૂત સોસાયટીમાં ગયા હતા. એ સમયે 30થી 35 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા માટે કોણ આવ્યું હતું એની ખબર નથી. અમે આ ઘટનાને વખોડી કાઢીએ છે.

મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી

મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાંથી સમગ્ર હકીકત જાણીને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રજૂઆત કરી હતી. ત્યાર બાદ અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે મેથોડિસ ખ્રિસ્તી સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. અગ્રણીઓ દ્વારા હુમલાખોરોની ઓળખ કરી તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!