વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જલાલપુરની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્યએ શાળાને પગભર બનાવવા માટે શાળાની જગ્યામાં 525 કેસર કેરીનું આંબાવાડીયું બનાવ્યું છે. આ આંબાવાડીયું આવનારા સમય માટે શાળા માટે અધધ… આવક ઉભી કરશે શાળાને આવક થશેવડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા તાલુકાના જલાલપુરની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમણભાઈ લીંબચિયા વિદ્યાર્થીઓને કોઈ પણ ભૌતિક સુવિધાઓનો અભાવ ન રહે તે માટે શાળાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે ગ્રામ સ્વરાજ મંડળના સહયોગથી શાળા પ્રકૃતિનું જતન કરી શકે અને આત્મનિર્ભર બને તે માટે 525 જેટલા કેસર આંબાની કલમો વાવવામાં આવી છે. હરિયાળું આંબાવાડિયું ઉભુ કરવાની સાથે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

ટ્રસ્ટીઓનો સહયોગ મળ્યો આચાર્ય રમણભાઇ લિંબાચિયાની સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિ થકી શાળા દ્વારા આંબાની કલમના વાવેતરનો વિચાર ગ્રામ સ્વરાજ મંડળ સમક્ષ મૂકવામાં આવ્યો, પરંતુ આંબાવાડી ઉભુ કરવા માટે એક કલમ દીઠ રૂપિયા 250-300ની રકમ અને તેની માવજત ખર્ચ માટેના નાણાકીય ભંડોળની અછત હતી. પરંતુ તેમણે પોતાની શાળાના ઉત્કર્ષ માટેના એ વિચાર પર પૂર્ણવિરામ ન મૂકતા વિવિધ ખાનગી સંસ્થાઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ અભિયાનમાં શાળાના ટ્રસ્ટીમંડળના સુખસ્વરૂપભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓનો સહયોગ મળ્યો.
પાંચ વર્ષથી માવજત કરે છે શાળાની આર્થિક સ્થિતિ વિકસાવીને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ આપી શકાય તે માટે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનીયાદી વિદ્યાલયને આચાર્યશ્રી રમણભાઈની રજૂઆતથી સકારાત્મક પ્રતિભાવ આપી પાદરાની સ્થાનિક ખાનગી કંપનીઓના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબ્લિટી માટે ભંડોળની સખાવતી ગ્રાન્ટના ઉપયોગ થકી દરવર્ષે રૂપિયા 250 ના એક એવી 100 આંબાની કલમો આપવામાં આવી. છેલ્લા પાંચ વર્ષથી તે ખાનગી કંપની આ રીતે 100 આંબાની કલમ આપે છે તે સાથે સિંચાઇ માટે ટપક સિંચાય માટેનો પ્લાન્ટ પણ આપવામાં આવેલ છે. મળેલ કુલ કલમ રોપવામાં આવી અને તેની યોગ્ય માવજત બાદ હાલમાં કુલ 525 જેટલા આંબાનું ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.અનેક એવોર્ડથી સન્માનીત અત્રે ઉલ્લેખનીય છે કે રમણભાઇ લીંબાચિયા વર્ષ-2002થી આ શાળાના આચાર્ય તરીકે કાર્યરત છે. વધુમાં વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ-2013, સ્વપ્નશિલ્પી એવોર્ડ-2013 તથા શાળાને શ્રેષ્ઠ શાળા એવોર્ડ-2013ની સાથે સેકડો સન્માનપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ઈચ્છે છે કે પોતે તો આવનાર ૨ વર્ષબાદ સેવા નિવૃત્ત થશે પરંતુ તેમને રોપેલ બીજના ફળ દાયકાઓ સુધી વિદ્યાર્થીઓને મળતા રહેશે. સાથે શાળાને પણ આવક થશે.