ભરૂચ શહેરમાં આવેલ હોટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી અને ગ્રામોધોગ કમીશન અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું.
ખાદી સાથે સંકળાયેલ કારીગરોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાદીની વસ્તુઓની ખરીદી કરવા લોકોને અપીલ કરવામાં આવી છે જે અંતર્ગત ખાદી અને ગ્રામોધોગ કમીશન અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ ગતરોજ સાંજે આમંત્રિત મહેમાનોના હસ્તે રીબીંગ કટિંગ અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું આ ખાદી પ્રદર્શન અને વેચાણ કેન્દ્રનું આમંત્રિતોએ નિહાળ્યું હતું આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,લોક ગાયક અભેસિંહ રાઠોડ,જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ ખાદી અને ગ્રામોધોગ કમીશન અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સિહોરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




