Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં સ્વામી સર્ણમ અયપ્પાની ઐરાવત ઉપર નિકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું..

ભરૂચમાં સ્વામી સર્ણમ અયપ્પાની ઐરાવત ઉપર નિકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું..

  • હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને હાથી સાથે યાત્રા કાઢી
  • પંચ વાદ્યો, નૃત્ય-સંગીત સાથે ઝાડેશ્વર રોડ સ્થિત અયપ્પા મંદિરે પોહચી

ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા 43માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિષ્ણુ અયપ્પા મંદિરે ધાર્મિક મહોત્સવ નિમિત્તે મંગળવારે કસકથી ઐરાવત, પંચ વાદ્યો અને પેહરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.

ભરૂચ શહેર જિલ્લામાં વસતાં કેરાલિયન સમાજના લોકો દ્વારા અયૈપ્પા વાર્ષિક પુજા મહોત્સવના ભાગરૂપે મંગળવારે સાંજે પરંપરાગત પરિધાન અને વાદ્યયોનાં સંગીતના સૂરો સાથે અયૈપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે.

શહેરના કસક સર્કલથી નિકળી પરંપરાગત વાદ્ય વગાડી, હાથી, તૈયમ, તાલાપોલી(પુજાની થાળી), લાઇટીંગ સહિતની જમાવટ સાથે રાત્રે ઝાડેશ્વર રોડ પર આવેલાં અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા. યાત્રા મંદિરે પોહચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી. જે પેહલા સવારે ગણપતિ હોમ અને અભિષેકનું આયોજન કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!