અંકલેશ્વરના મીરાંનગર સ્થિત એક્સીસ બેન્કના એટીએમ સેન્ટર ખાતે યુવાનનું એટીએમ બદલી ૧૫ હજાર ઉપાડી ત્રણ ગઠીયા ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના મીરાં નગર વિસ્તારમાં રહેતા પરસુરામ કૈલાશભાઈ વસાવા ગતરોજ મીરાંનગર સ્થિત એક્સીસ બેન્કના એટીએમ સેન્ટર ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા જેઓએ પ્રથમ ૧૦ હજાર ઉપાડી બીજીવાર ૩ હજાર ઉપાડવા ઉભા હતા તે દરમિયાન એટીએમ પાસે ઉભેલ ત્રણ ઈસમોએ એટીએમ કાર્ડ બદલી લીધું હતું.જે બાદ રૂપિયા નહી ઉપડતા પરસુરામ વસાવા ત્યાંથી જતા રહ્યા હતા જે બાદ તેઓના ફોનમાં ૧૫ હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા જેઓ સાથે ઉભેલ ત્રણ ઈસમો એટીએમ બદલી તેઓ સાથે ૧૫ હજારની છેતરપીંડી કરી હોવાની અરજીરૂપી ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે.