Published by : Rana Kajal
- બીલીમોરા અને વઘઈ વચ્ચે હાઇડ્રોજન ટ્રેન દોડશે…
- હવે જ્યારે હાઇડ્રોજન ટ્રેનનો યુગ આવી રહયો છે ત્યારે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ગુજરાતમાં દોડશે…
ગુજરાતના બીલીમોરા થી વઘઇ જતી નેરોગેજ ટ્રેન વર્ષોથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગના આદિવાસી લોકો માટે જીવાદોરી સમાન રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર આ ટ્રેનને નવી સુવિધા સાથે સજ્જ કરી દોડાવાઈ રહી છે. ત્યારે રેલ્વે મંત્રાલયે દેશમાં હાઈડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેનું નામ છે ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ જેમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે હાઈડ્રોજન ટ્રેન ચલાવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટ્રેનને લઈ દેશમાં ટુંક સમયમાં હાઈડ્રોજન ટ્રેન દોડતી થશે તેવી જાહેરાત કરી છે. ગુજરાત સહિત દેશની અનેક હેરિટેજ લાઈનો પર દોડતી દેખાશે. હાઈડ્રોજન ટ્રેનને લઈ રેલવેતંત્રએ કહ્યું કે, ડિસેમ્બર 2023થી દેશમાં હાઇડ્રોજન ટ્રેનો દોડવાનું શરૂ થશે. તે પહેલા 8 હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે. વધુમાં દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે આ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવી રહી છે.

રેલવે એ જણાવ્યું કે, આ અંગે ટ્રેનોના એન્જિન અને કોચમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. કોચમાં પ્રોપલ્શન યુનિટ પણ લગાવવામાં આવશે. આ સાથે તેમાં વિસ્ટાડોમ કોચ પણ લગાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે 2 વર્ષમાં, દેશમાં સંપૂર્ણપણે હાઇડ્રોજન ટ્રેનો શરૂ થશે. મહત્વનું છે કે, રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ફ્યૂલના રૂપમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યું છે. જેમાં હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યા છે.