Published by : Rana Kajal
વિશ્વમાં નર્મદા નદી જ માત્ર એક એવી નદી છે, જેની વિધીવત પરિક્રમા યુગોથી કરવામાં આવે છે. નર્મદા પરિક્રમા મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચના સમુદ્ર સંગમ સુધી કરવામાં આવે છે. દર વર્ષે ભરુચ જીલ્લામાં 2 લાખ કરતા પણ વધારે નર્મદા પરિક્રમા કરનારા ભક્તો આવતા હોય છે. આ પરિક્રમા કરવાની ઘણા લોકોની ઈચ્છા હોય છે, પરંતુ બધા લોકો આ પરિક્રમા પરિપૂર્ણ કરી શકતા નથી
નર્મદા પરિક્રમા કરતા સમયે રસ્તામાં અનેક વિઘ્નોનો સામનો કરવો પડે છે. ત્યારે નર્મદા માતાની 3 હજાર કિમી કરતા પણ વધારે લાંબી પરિક્રમા કરવા માટે નીકળેલ પિયુષ અત્યારે બધાનું આર્કષણનું કેન્દ્ર બન્યો છે. જેમને આટલી નાની વયે નર્મદા માતાની પરિક્રમા માટે પ્રયાણ કર્યું છે. મધ્યપ્રદેશનો રહેવાસી 11 વર્ષીય પિયુષે તેમના દાદા-દાદી સાથે પરિક્રમાની શરુઆત કરી હતી. તે તેના દાદ-દાદીનો સહારો બન્યો છે. પરિક્રમા માટે તે એક મહિના પહેલાં તેના દાદા-દાદી સાથે ઓમકારેશ્વરથી નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી હતી. જે લગભગ 3,600 કિલોમીટર અત્યંત કઠોર પરિક્રમા છે. બાળ પરિક્રમા કરનારા પિયુષ સાવલેએ 1 મહિના પૂર્વે જ નર્મદા નદીની પરિક્રમા શરુ હતી. બાળ પરિક્રમાવાસી આજે અડધી નર્મદા નદીની પરિક્રમા પૂર્ણ કરવા જઈ રહ્યો છે.