Published by : Rana Kajal
રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ધોરણ 8ની આ વિદ્યાર્થિનીને ધ્રુજારી આવ્યા બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી અને એ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બાબતે પરિવારજનોએ આરોપ કરતા કહ્યુ હતું કે ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવ્યો હતો. આ શાળામાં સ્કૂલનાં સ્વેટર વગર બીજું કોઇ પહેરી શકાતું ન હતું. જેથી વધારે ઠંડી લાગતી હોય છે.અને તેનો તાત્કાલિક સારવાર ન મળતા બાળકીનું મૃત્યુ થયુ છે.
પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ જાણકારી મળશે
આ ઘટના બાદ આજે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર ઘટના બાબતે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ જાણકારી મળશે અને એ પછી જ આગળની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.