Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchદેશમાં હિંદુઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા...

દેશમાં હિંદુઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું…

  • વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવી કડક કાયદા બનાવવા કરી રજૂઆત

દેશમાં હિંદુઓ ઉપર થઇ રહેલ હુમલાઓ અને હત્યા સંદર્ભે વિરોધ નોંધાવતું આવેદન પત્ર આજરોજ ભરૂચ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પાઠવવામાં આવ્યું હતું

તાજેતરમાં અસમમાં એક બજરંગ દળના કાર્યકર્તાની નિર્માતા હત્યા કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયમાં ૯ જેટલા હિંદુ નેતાઓની હત્યા કરવામાં આવી છે ઉપરાંત દિલ્હી ખાતે પણ એક હિંદુ ઉપર હુમલો કરી તેના ૩૨ ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને લઈને આજરોજ ભરુચ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જીલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આવા જેહાદી તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવા માટે કડક કાયદા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે આવા તત્વો ક્યારેક લવજેહાદના નામે તો ક્યારેક સીર ધડથી અલગ ગેંગના નામે આતંક મચાવી રહ્યા છે. ત્યારે તેઓને ડામવા માટે કડક કાયદા બનવા જોઈએ અને આવા તત્વોને પ્રેરણા આપનાર સંસ્થાઓ સામે પણ કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!