ભારતના ત્રણ સ્ટાર ક્રિકેટ ખેલાડીઓએ ઇજાગ્રસ્ત ખેલાડી ઝડપથી સાજો થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. ત્રણેય ખેલાડી મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થયા
ઈન્ડિયન ક્રિકેટરોએ સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર મહાકાલનાં ચરણોમાં શીશ ઝુકાવતાં ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેમણે પંચામૃત અભિષેક સાથે મહાકાલનું પૂજન કર્યું હતુ..ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાવાની છે. મેચ માટે બંને ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે. ત્રણેય પ્લેયર ઈન્દોરથી જ ઉજ્જૈન ગયા હતા. જૉકે ખેલાડીઓએ ધોતી-સાલ પહેરીને મંદિરમાં જઈને ગર્ભગૃહમાં મહાકાલનો પંચામૃત અભિષેક કર્યો હતો. ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયા પણ સાથે હતા. મહાકાલ મંદિરમાં ત્રણેય ક્રિકેટર સામાન્ય ભક્તોની જેમ જ ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેઓ નંદી હોલમાં ભક્તોની વચ્ચે બેઠા હતા. આસપાસ બેઠેલા લોકો પણ તેમને ઓળખી શક્યા નહોતા. ત્રણેય ખેલાડીએ સામાન્ય ભક્તોની જેમ જ ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા.
Published by : Anu Shukla
- પંત માટે પ્રાર્થના કરવા ક્રિકેટરો મહાકાલનાં ચરણોમાં….
- ભારતના ક્રિકેટની દુનિયાના સ્ટાર ખેલાડીઓએ ઇજાગ્રસ્ત ખેલાડી ઝડપથી સાજો થઈ જાય તે માટે ભગવાનને પ્રાથના કરી હતી…
ભારતના ત્રણ સ્ટાર ક્રિકેટ ખેલાડીઓએ ઇજાગ્રસ્ત ખેલાડી ઝડપથી સાજો થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. ત્રણેય ખેલાડી મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થયા.
ઈન્ડિયન ક્રિકેટરોએ સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર મહાકાલનાં ચરણોમાં શીશ ઝુકાવતાં ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેમણે પંચામૃત અભિષેક સાથે મહાકાલનું પૂજન કર્યું હતુ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાવાની છે. મેચ માટે બંને ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે. ત્રણેય પ્લેયર ઈન્દોરથી જ ઉજ્જૈન ગયા હતા. જૉકે ખેલાડીઓએ ધોતી-સાલ પહેરીને મંદિરમાં જઈને ગર્ભગૃહમાં મહાકાલનો પંચામૃત અભિષેક કર્યો હતો. ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયા પણ સાથે હતા. મહાકાલ મંદિરમાં ત્રણેય ક્રિકેટર સામાન્ય ભક્તોની જેમ જ ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેઓ નંદી હોલમાં ભક્તોની વચ્ચે બેઠા હતા. આસપાસ બેઠેલા લોકો પણ તેમને ઓળખી શક્યા નહોતા. ત્રણેય ખેલાડીએ સામાન્ય ભક્તોની જેમ જ ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા.