સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી દેશવાસીઓ પોતાના ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે વાલિયા તાલુકા યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયાની આગેવાનીમાં પોલીસ સ્ટેશન સામે આવેલ ભાજપ કાર્યાલયથી તિરંગા રેલી નીકળી હતી.

રેલી ગામમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા,લતીફ કડીવાલા,કિરણ વસાવા,અમિત વસાવા અને યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.