Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઅંકલેશ્વર ખાતે UPLના યુનિટ 2ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન...

અંકલેશ્વર ખાતે UPLના યુનિટ 2ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત

  • ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ માટેનાં અતુલનીય પ્રદાન બદલ પ્રથમ ક્રમ હાંસલ કર્યો

વૈશ્વિક સ્ર્તરે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ પૂરી પાડતી યુપીએલ લિમિટેડને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનાં હસ્તે અંકલેશ્વર, ગુજરાત ખાતેનાં યુનિટ ટુને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતેનાં યુનિટ ટુ એ કૃષિ ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ માટેનાં અતુલનીય પ્રદાન બદલ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

ઊર્જા સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ દ્વારા કરવામાં આવતા પ્રશંસનીય પ્રયત્નોની કદર તરીકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ આપવામાં આવે છે.આ કાર્યક્રમનું આયોજન ઊર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એઆઇ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાના વિકાસ ગર્ગ અને યુપીએલ યુનિટ ૨ ના હેડ દિપક કુમાર ગર્ગ એ યુપીએલનું પ્રતનિધિત્વ કર્યું હતું અને એવોર્ડ સ્વીકાર્યો હતો.

યુપીએલના ગ્લોબલ હેડ રાજ તિવારીએ જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠીત એવોર્ડ સ્વીકારવા બદલ અમે આનંદ અને નમ્રતાની લાગણી અનુભવીએ છીએ. આ એવોર્ડ ઊર્જા સંરક્ષણ અને કાર્યક્ષમ ઊર્જા વપરાશને પ્રોત્સાહન આપવાનાં અમારા નિરંતર પ્રયત્નોનું પ્રમાણ છે. અમે કેમિકલ સેક્ટરમાં અમારી કામગીરી ચાલુ રાખવા માટે પ્રતિબધ્ધ છીએ. આ એવોર્ડ અમને કૃષિ ક્ષેત્રમાં સાતત્યતાને પુનઃવ્યાખ્યાયિત કરવાનાં અમારા મિશનને વધુ મજબૂત કરવા અને ખેડૂતો તથા પૃથ્વી પ્રત્યેની અમારી જવાબદારીને પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!