Published by : Anu Shukla
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આર્થિક અને રાજનીતિક જીવનમાં તેમના અદ્ભુત યોગદાન બદલ હાલમાં જ લંડનમાં ઇન્ડિયા-યૂકે અચીવર્સ ઓનર્સ દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જો કે આ એવોર્ડને લેવા માટે પૂર્વ પીએમ બ્રિટન નથી પહોંચ્યા પરંતુ તેઓ એવોર્ડ રાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થી અને પૂર્વ વિદ્યાર્થી સંઘ (NISAU) યુકે દ્વારા દિલ્હીમાં ડૉ.મનમોહન સિંહને સોંપવામાં આવશે. ડોક્ટર મનમોહનસિંહ 2004-2014 સુધીમાં દેશના વડાપ્રધાન રહ્યા હતા.
મનમોહન સિંહને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડની જાહેરાત
ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિભાગ (DIT) સાથે ભાગીદારીમાં રાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થી અને પૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા ઇન્ડિયા-યુકે એચીવર્સ ઓનર્સનું આયોજન કરવામાં આવે છે. જ્યાં બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓની ઉજવણી મનાવે છે. આ દરમિયાન ડૉ.મનમોહનસિંહને લાઇફટાઇમ એચિવમેન્ટ ઓનર આપવાની જાહેરાત થઇ. આ એવોર્ડ મનમોહનસિંહને ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટીઝમાં તેની એકેડેમી માટે આપવામાં આવશે.
ભારત-યુકેનો સંબંધ આજે પણ શૈક્ષણિક રીતે પરિભાષિત થાય
મનમોહનસિંહે એક લેખીત આદેશમાં જણાવ્યું કે, હું આ ભાવથી ખુબ જ પ્રભાવિત છું. જે ખાસ કરીને યુવાઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. જે બંન્ને દેશો વચ્ચે સંબંધોનું ભવિષ્ય છે. 90 વર્ષની ઉંમરે અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યુ કે, ભારત-યુકે સંબંધ વાસ્તવમાં અમારી શૈક્ષણિક ભાગીદારી દ્વારા ખાસ રીતે પરિભાષિત કરવામાં આવ્યા છે. અમારા રાષ્ટ્રના સંસ્થાપક પિતા, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ડૉ.બી.આર આંબેડકર, સરદાર પટેલ અને અનેક અન્ય લોકોને બ્રિટનમાં અભ્યાસ કરવાની તક મળી છે.