Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratપેપરકાંડમાં કોલકાતાથી બે મોટા માથાઓની ધરપકડ, યુવરાજસિંહે આપ્યા હતા નામ…

પેપરકાંડમાં કોલકાતાથી બે મોટા માથાઓની ધરપકડ, યુવરાજસિંહે આપ્યા હતા નામ…

Published by : Anu Shukla

રાજ્યમાં ગત 27મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે વડોદરાથી ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ સાથે જ હૈદરાબાદની જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું તેના કર્મચારી એમ મળીને 17 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારે પેપર લીક કેસમાં તપાસ કરી રહેલી ગુજરાત ATSને હવે મોટી સફળતા મળી છે. ATS દ્વારા કોલકાતાથી પેપરકાંડના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગઈકાલે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં આ નામ આપ્યા હતા

ATSની ટીમે કોલકાતાથી નિશિકાંત સિંહા અને સુમિત કુમારની ધરપકડ કરી છે. જે આ પેપરલીક કાંડના મુખ્ય આરોપીઓ હોવાનું કહેવાય છે. ATSની ટીમે મોડી રાત્રે કોલકાતાથી આ બંનેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પેપરકાંડમાં 19 જેટલા આરોપીઓ સકંજામાં આવી ચૂક્યા છે. ગઈકાલે યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક કાંડમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં નિશિકાંત સિંહાનું પણ નામ લીધું હતું અને કહ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા નિશિકાંત સિંહાએ જ અગાઉ ભાસ્કર ચૌધરીને તિહાર જેલમાંથી છોડાવ્યા હતા અને દરેક વખતે પેપર કાંડમાં પોતે કોઈને કોઈ રીતે છટકી જાય છે. ત્યારે હવે ATSની તપાસનો રેલો તેમના સુધી પહોંચતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

‘ઉર્જા વિભાગમાં કૌભાંડથી 300થી વધુ લોકોને નોકરી અપાવી’

યુવરાજસિંહે કહ્યું હતું કે, કેતન બારોટ અરવલ્લીના આસપાસના વિસ્તારો સાથે સીધી રીતે સંકળાયેલા છે. મોટાભાગની તમામ લિંકો અરવલ્લી આસપાસના વિસ્તારો તેની સાથે સીધી સંકળાયેલી છે. તેમાં ખાસ કરીને કેતન બારોટનું મોસાળ નરસિંહપુર આવેલું છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અવિનાશ પટેલ સાથે થઈ હતી. આ અવિનાશ પટેલ ભૂતકાળની ઘણી પરીક્ષાના પેપર લીકમાં સીધો સંકળાયેલો છે. તેમના ધર્મપત્ની, તેમના બહેન અને સંબંધીઓ પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડથી લાગ્યા છે. તેમના પત્નીનું સર્ટિફિકેટ પણ નકલી છે, જે ભાસ્કર ચૌધરી પાસેથી મેળવ્યું છે.

અવિનાશ સાથે અરવિંદ પટેલ, અજય પટેલ અને દેવ પટેલ, આ લોકોએ ઊર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા અમારી પાસે ડેટા છે તે મુજબ 300થી વધુ લોકોને સિસ્ટમેટિક રીતે નોકરીએ લગાડ્યા છે. જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી અને આ ભાસ્કર ચૌધરીની ઈન્સ્ટીટ્યુટ હતી સ્ટેક વાઈઝ ટેકનોલોજી એમાં અવિનાશે 70-80 લાખનું ફંડિંગ કરેલું છે.

2014 બાદની ભરતી પરીક્ષાની તપાસ કરવા માંગ

અવિનાશની નરસિંહપુરમાં આવેલી PNB બેંકનો ડેટા તપાસતા તમામ વિગતો સામે આવી જશે. આ સાથે જ યુવરાજ સિંહે વર્ષ 2014 બાદથી લેવામાં આવેલી સરકારી પરીક્ષાની પણ તપાસ કરવા કહ્યું. તેમણે કહ્યું, ભૂતકાળમાં લીક થયેલા પેપર મામલે જે આરોપીઓ હતા તેમના જ સંપર્કમાં રહેલા વ્યક્તિઓએ અન્ય પેપર ફોડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અને બધાની ઉપર નિશિકાંત સિંહા નામના રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જે ભાસ્કર ચૌધરી અગાઉ તિહાડ જેલ ગયા હતા, જેને ત્યાંથી છોડાવનાર નિશિકાંત સિંહા છે. તેની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!