Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainment'કાંતારા'નો આવશે ભાગ 2.... ઋષભ શેટ્ટીએ કરી જાહેરાત

‘કાંતારા’નો આવશે ભાગ 2…. ઋષભ શેટ્ટીએ કરી જાહેરાત

Published by : Rana Kajal

  ‘કાંતારા’ના 100 દિવસ પુરા થવાના અવસર પર કરી જાહેરાત

સપ્ટેમ્બર 2022માં રીલીઝ થયેલ બહુ ચર્ચિત સાઉથની ફિલ્મ ‘કાંતારા’ના 100 દિવસ પુરા થવાના અવસર પર ફિલ્મના દિગ્દર્શક ઋષભ શેટ્ટીએ આ ફિલ્મના બીજા પાર્ટની જાહેરાત કરી છે. ઋષભ શેટ્ટીએ જણાવ્યું  કે, ‘જે ફિલ્મ તમે જોઈ  તે વાસ્તવમાં પાર્ટ-2 હતી, પાર્ટ-1 આવતા વર્ષે આવશે. આ વિચાર મને ફિલ્મના  શૂટ  દરમિયાન આવ્યો હતો કેમ કે કાંતારાનો  ઈતિહાસ ખુબ ઊંડો છે અને દર્શકોના મળેલ પ્રેમ બાદ તેને દર્શકો સુધી પહોંચાડવાની અમારી ઈચ્છા છે.’ ફિલ્મ દિગ્દર્શક ઋષભ શેટ્ટી હવે તેની ફિલ્મ કાંતારાનું પ્રીક્વલ લઈને આવશે. પ્રીક્વલ ત્યારે કરવામાં આવે છે જયારે કોઈ ફિલ્મના પાછળની સ્ટોરી અથવા કોઈ પાત્રને વધારે વિસ્તૃત રૂપે અલગ ફિલ્મમાં દેખાડવાનું હોય છે. કાંતારા સાથે પણ આવું જ કંઈક થવાનું છે. તેના બીજા ભાગના રૂપમાં પહેલો ભાગ રીલીઝ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!