Published by : Rana Kajal
- અમેરિકાથી આવેલા મુળ ગુજરાતના ડોક્ટરોએ 8 બાળકોની સર્જરી કરીને 60થી 120 ડિગ્રી સુધી નીકળેલી ખૂંધ સીધી કરી…. જીવનભરની ખોડ દૂર કરી….
ઘણા બાળકોની ખૂંધ જન્મથીજ ખામી ધરાવતી હોય છે. સમયસર તેનો ઇલાજ નહિ કરાવવામાં આવે તો કાયમી ખોડ રહી જાય છે. મૂળ ગુજરાતના પરંતું હાલ અમેરિકા ખાતે રહેતા તબીબોએ અમદાવાદ આવી સમાજસેવાના ઍક ભાગ રૂપે ઓપરેશન કરી બાળકોની ખૂંધની ખોડ દૂર કરી હતી.
ખૂંધની ખોડ અંગે વધુ વિગતે જોતાં કરોડરજ્જુ વળેલી હોવાથી બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અને પીઠમાં દુ:ખાવો થતો હતોકરોડરજ્જુની એકતરફ વાળી નાંખતા સ્કોલિયોસીસ રોગથી પીડાતા 8 બાળકોની જીસીએસ હોસ્પિટલ અને અમેરિકાના 14 ડોક્ટરોની ટીમે 60થી 120 ડિગ્રી સુધી વળી ગયેલી કરોડરજ્જુની 5થી 10 કલાકની સર્જરી કરીને દર્દમુક્ત કર્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂ. 7થી 15 લાખને ખર્ચે થતી સર્જરી નજીવા દરે કરાઇ છે. જીસીએસના ઓર્થોપેડિક વિભાગના વડા ડો. જયોતિષ પટેલ જણાવે છે કે, સ્કોલિયોસીસ બાળકમાં જન્મજાત-જનીનની ખામી સર્જાતો રોગ છે, જે વસતીના 2થી 4 ટકા બાળકોમાં જોવા મળે છે.
રોગના વહેલા નિદાન-સારવારને અભાવે બાળક મોટું થતાં કરોડરજ્જુ 60થી 120 ડિગ્રી સુધી વળી જતાં ખૂંધ નીકળે છે, જેથી બાળકને શ્વાસ લેવામાં અને પીઠમાં દુખાવાને લીધે સર્જરીને અભાવે લાંબેગાળે ચેતાતંતુ-કરોડરજ્જુુને નુકસાન થાય છે. 23થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા નિશુલ્ક તપાસ કેમ્પમાં 8 બાળકોને સર્જરીની જરૂર જણાઇ હતી.આ સર્જરી માટે યુએસએના સિનસિનાટી ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરના સ્પાઇન સર્જન મૂળ ગુજરાતના ડો. વિરલ જૈન સહિત 8 નિષ્ણાત ડોક્ટરોની ટીમ સમાજ સેવાને ભાગરૂપે સર્જરીમાં નાંખવાના ઇમ્પલાન્ટ લઇને હોસ્પિટલમાં આવી છે. 14 ડોકટરોની ટીમે 5થી 10 કલાકની સફળ સર્જરી કરી તેમને દર્દમુક્ત કર્યા હતા.મોટાભાગના બાળકોમાં રોગનું નિદાન 10થી 15 વર્ષની વયે થતું હોવાથી સર્જરીમાં કોમ્પિલકેશન વધુ રહે છે. ન્યુરો મોનીટરીંગ સાથે કરાતી સર્જરી બાદ બાળકને આઇસીયુ- હોસ્પિટલમાં 3 વીક રોકાણ, 12 મણકાંનું કરેકશન કરીને રોડ અને સ્ક્રૂ (ઇમ્પલાન્ટથી કરોડરજ્જુ સીધી કરાય છે. આ સર્જરીમાં બાળક લકવાગ્રસ્ત થવાની શક્યતા હોવાથી વિશેષ તકેદારી જરૂરી છે.