Published by : Rana Kajal
દેશમાં બેરોજગારીની હાલમાં સમસ્યા જણાઈ રહી છે. પરતું આવનાર દિવસોમા સ્કીલ કામદારો માટે રોજગારીની મોટી તકો ઉભી થશે એવા તારણો આવી રહ્યા છે.હાલના સમયમાં દેશમાં કામદારોની અછત નથી, પરંતુ ઉદ્યોગની જરૂરિયાત પ્રમાણે સ્કિલ નહીં હોવાથી 75% કંપનીઓનું કહેવું છે કે, તેમને યોગ્ય કર્મચારી કે કામદારો નથી મળી રહ્યા. ટીમલિઝના રિપોર્ટ પ્રમાણે, ઝડપથી બદલાતી દુનિયામાં ટેકનિકલી સ્કિલ્ડ કર્મચારીઓની ભારે અછત છે. જેમકે
ભારતમાં 2026 સુધી ત્રણ કરોડ ડિજિટલી સ્કિલ્ડ વર્કર્સની જરૂરિયાત હશે. હાલ કામ કરતા પ્રોફેશનલ્સે પોતાને ડિજિટલી સ્કિલ્ડ કરવા જ પડશે. એવું નહીં કરે તો તેમને બેવડું નુકસાન થશે. પહેલું એ કે તેમની છટણી થઇ શકે છે. બીજી સ્થિતિ એવી સર્જાઇ શકે છે કે, તેમને પગારવધારો ના મળે.ટીમલિઝે ગયા વર્ષે આંકડાના આધારે કહ્યું હતું કે, જોબ કરતી વખતે પોતાને સ્કિલ્ડ કરનારા 31% વર્કર્સને બઢતીની સાથે 25%થી વધુ પગારવધારો મળ્યો હતો. આ સ્થિતિ તમામ ક્ષેત્રે છે. જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓને સ્કિલ્ડ કરવા કંપનીઓનો મહત્ત્વનો એજન્ડા છે. તેમને લાગે છે કે, એવું નહીં કરાય તો તેઓ પાછળ પડી જશે.
દેશમાં 50 કરોડ લોકોની ઉંમર 18થી 58 વર્ષ વચ્ચે છે. તેને વર્કિંગ એજ કેટેગરી કહેવાય છે. તેમાં ત્રણ ચતુર્થાંશ લોકો સમયની જરૂરિયાત પ્રમાણ સ્કિલ્ડ નથી. ચિંતાની વાત એ છે કે, આ અંતર સતત વધી રહ્યું છે. 22થી 25 વર્ષ વચ્ચેના 49% યુવાનો કામને લાયક મનાય છે. તે યુવાનો સ્કિલ્ડ છે અથવા પોતાને ઝડપથી અપડેટ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. જે લોકો પાસે હાલ જોબ છે, તેમણે પણ પોતાને નવા પડકારો પ્રમાણે સ્કિલ્ડ કરવા પડશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 2023 સુધી એઆઇ ક્ષેત્રે 23 લાખ નવી નોકરી પેદા થવાની આશા છે…