Published by : Vanshika Gor
એઆઈ ચેટબોટ ChatGPT અને Bard પછી હવે એઆઈ ચેટબોટ ટેક્નોલોજીને લઇને હોડ મચી ગઈ છે. ગૂગલના એક સોફ્ટવેર એન્જિનિયરે ભગવદ્ ગીતાથી પ્રેરાઈને AI ચેટબોટ Gita GPT વિકસિત કર્યું છે. તેની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે.
ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન કરીને તમારા જવાબો આપશે માહિતી અનુસાર Gita GPT પર યૂઝર્સ જે પણ સવાલો કરશે ત્યારે એઆઈ ચેટબોટ ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન કરીને તમારા જવાબો આપશે. ઉલ્લેખનીય છે કે Gita GPT પણ ચેટ જીપીટીની જેમ જ એક પ્રકારનું એઆઈ ચેટબોટ છે.

Gita GPT આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ જીપીટી-૩ દ્વારા સંચાલિત થાય છે. બેંગ્લુરુ સ્થિત ગૂગલ સોફ્ટવેર એન્જિનિયર સુકુરુ સાંઇ વિનીતે Gita GPT વિકસાવ્યું છે. તે ભગવદ્ ગીતાથી પ્રેરિત છે. વિનીત એઆઈની દોડમાં સામેલ થઇ ગયા છે અને તેમણે ચેટ જીપીટી જેવું જ ટૂલ વિકસાવ્યું છે. Gita GPT આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ જીપીટી-૩ દ્વારા સંચાલિત થાય છે જે સીધા ભગવદ્ ગીતાથી તમારા જીવન સંબંધિત મુદ્દાઓના જવાબ આપે છે.
માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે હોડ મચી ઉલ્લેખનીય છે કે હવે આ ક્ષેત્રમાં માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી ટેક દિગ્ગજ કંપનીઓએ તેમના એઆઈ બોટ વિકસાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે પોત-પોતાના ચેટબોટ રજૂ કરી દીધા છે. જેમાં તાજેતરમાં ગૂગલના ચેટબોટ બાર્ડને કારણે ગૂગલને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો કેમ કે તેણે એક સવાલનો ખોટો જવાબ આપી દીધો હતો.