Published by : Vanshika Gor
તાજેતરમા લોકસભામાં પેટ્રોલીયમ મંત્રીએ જણાવ્યું હતું કે કદાચ આવનાર દિવસોમાં રાધણ ગેસ ના ભાવ ઘટી શકે છે.કેન્દ્ર સરકાર ફરીથી રાંધણ ગેસ પર સબસિડી આપવાનું શરૂ કરી શકે છે. આ માહિતી પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ 9 ફેબ્રુઆરી 2023 લોકસભામાં આપી હતી. તેમણે કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય ગેસના ભાવ ઘટે છે તો સરકાર રાંધણ ગેસ પર સબસિડી આપીને ગ્રાહકોને રાહત આપી શકે છે.પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે સરકાર ગેસની કુલ સ્થાનિક જરૂરિયાતના 60 ટકા આયાત કરે છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે 200 રૂપિયાની (વર્તમાન) સબસિડી છે તે કરદાતાઓનું નાણું છે જે સૌથી વધુ સંવેદનશીલ છે, અમે હંમેશા મદદ કરવા તૈયાર છીએ જો તે આ ગૃહ અને માનનીય વડાપ્રધાન પર છોડી દેવામાં આવે તો આંતરરાષ્ટ્રીય અથવા સાઉદી કરારની કિંમત $750 થી વધુ નીચે આવી શકે તો તે આદર્શ રહેશે. આનાથી ઘરેલું એલપીજી વધુ સસ્તું દરે વેચી શકાશે. આયાત કિંમત સાઉદી કરાર કિંમત સાથે જોડાયેલ છે.રાંધણ ગેસ પર લોકોને વધુ સબસિડી આપવા અંગેના પ્રશ્નના જવાબમાં પુરીએ જણાવ્યુ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં વધારો થવા છતાં સરકાર ગ્રાહક વસ્તીની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે.