Published by : Rana Kajal
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. પહેલા આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાળા સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તે ઈન્દોરમાં યોજાશે. આ મેચન 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે રમાશે. હિમાચલના આ ક્ષેત્રમાં તીવ્ર શિયાળાને કારણે આઉટફિલ્ડમાં પૂરતું ઘાસ નથી અને તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં હજુ ઘણા દિવસો લાગશે. BCCIની ટીમે 11 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. રવિવારે રજૂ કરવામાં આવેલ રિપોર્ટ ધર્મશાળાની તરફેણમાં ન હતો.
BCCIએ સ્થળ બદલવાનું કારણ આપતા જણાવ્યું કે, આ પ્રદેશમાં શિયાળાની કઠોર પરિસ્થિતિઓને કારણે, આઉટફિલ્ડમાં ઘાસની પૂરતી ડેન્સિટી નથી અને તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં થોડો સમય લાગશે. તેવામાં અહીં સમયસર ત્રીજી ટેસ્ટ રમવી શક્ય નથી. તેથી વેન્યુ બદલીને ધર્મશાળાની જગ્યાએ ઇન્દોર કરવામાં આવ્યું છે.