Published by : Rana Kajal
ગુજરાત સહીત દેશના હજારો પ્રવાસીઓ અહીં આવે છે…જોષીમઠમાં ભુસ્કલન અને અન્ય આફતો બાદ હવે ઉત્તર કાશીમાં પણ ભૂસ્ખલનનુ જોખમ વધી ગયું છે. અત્રે નોંધવુ રહ્યુ કે ગુજરાત સહિત દેશના મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે.
હવે વધુ ઍક પ્રવાસ ધામ એવા ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં સ્થિત લોહારી નાગ પાલા બંધ મોટી હોનારત માટેનું કારણ બની શકે છે. પર્યાવરણને બચાવવા માટે બંધનાં નિર્માણ કામને વચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતુ.આનાથી નિકળેલી ત્રણ અડધી નિર્મિત સુરંગ ચાર ગામોની નીચેથી પસાર થાય છે. હવે ગામોમાં જમીન ધસી રહી છે. જેના કારણે આ ગામોનાં 1245 પરિવારોમાં દહેશત ફેલાઇ ગઇ છે આ અંગે વધુ વિગતે જોતા 19 વર્ષ પહેલા ઉત્તરકાશીથી આશરે 50 કિલોમીટરનાં અંતરે ચીન સરહદ તરફ ભાગીરથી નદી પર 600 મેગાવોટની લોહારી નાગપાલ જળ વીજળી યોજનાને આગળ વધારતાની સાથે જ વિવાદની શરૂઆત થઇ હતી. પર્યાવરણ નિષ્ણાત જી.ડી. અગ્રવાલે પર્યાવરણ નુકસાન અંગે રજૂઆત કરીને બંધનો વિરોધ કર્યો હતો. એ વખતે મનમોહનસિંહ સરકારે ઉત્તરકાશીથી આગળ ગંગોત્રી સુધીનાં વિસ્તારને ઇકો સેનસેટીવ ઝોન જાહેર કરી હતી. એનટીપીસીને બંધનું કામ 2010માં બંધ કરવાની ફરજ પડી હતી. આ કામ 65 ટકા પૂર્ણ થઇ ગયું હતુ. કેટલીક સુરંગ પણ અડધી બની હતી, જે તિહાર, કુંજન, ભંગેલી, સુનાગર ગામની નીચેથી પસાર થાય છે. તિહારમાં 500, કુંજનમાં 345 અને બે અન્ય ગામોમાં 400 પરિવારો છે.આ તમામ સુરંગો ખતરનાક છે.
રાજ્યનાં ભૂવૈજ્ઞાનિક ડો. એસપી સતીનું કહેવુ છે કે, બંધનું કામ રોકાયા બાદ તેની સુરંગોને વૈજ્ઞાનિક રીતે બંધ કરવાની જરૂર હતી. અડધી બનેલી સુરંગોથી સમગ્ર ઇકો સંસેટિવ ઝોનની સામે ખતરો ઉભો થઇ ગયો છે. જો સમય સમયએ આ સુરંગોમાં સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારમાં મોટા ભૂસ્ખલન થઇ શકે છે.કેન્દ્રની સાથે એનટીપીસી સમક્ષ રાજ્ય સરકારે બાકી કામને પૂર્ણ કરવા માટેની માંગણી કરી છે. એવા તર્ક આપવામાં આવ્યા છે કેપરિયોજનાના બંધ થવાથી તેને 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. બીજી બાજુ, ઉત્તરાખંડ સરકારનું કહેવું છે કે, જો આ રકમ મળ્યા બાદ પણ જો પરિયોજના શરૂ કરવાની મંજુરી નહીં મળે તો ભારે નુકસાન થઇ જશે.બંધ ક્ષેત્રનાં ગામ બે હોનારતનો સામનો કરી ચૂક્યા છે. 1991માં અહીં રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ વખતે અનેકના મોત થયા હતા. ત્યારબાદ 2013માં અહીં પહેલા પૂર અને ત્યારબાદ જમીન ધસી પડવાની ઘટનાઓ બની છે.