Monday, April 21, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratજય માતાજી...પરિક્રમાના ત્રીજા દિવસે મા અંબાના જયઘોષથી ગબ્બર તળેટી ગુંજી ઉઠી...

જય માતાજી…પરિક્રમાના ત્રીજા દિવસે મા અંબાના જયઘોષથી ગબ્બર તળેટી ગુંજી ઉઠી…

Published by : Rana Kajal

અંબાજીમાં 3 દિવસમાં 1,65,500 શ્રધ્ધાળુએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી…હાલ પરિક્રમાના મહિમાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે પરિક્રમાના ત્રીજા દિવસે જ્ય માતાજીના જય ઘોષ સાથે ગબ્બરની તળેટી ગુંજી ઉઠી હતી. માં અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિને સવારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અન્ય ભાવિક મંડળો દ્વારા માતાજીના મુખ્ય શક્તિપીઠ ગબ્બર ઉપરની અખંડ જ્યોતને ધાર્મિક મર્યાદા મુજબ નીચે લાવવામાં આવી હતી. પરિકમ્મા માર્ગ પરના તમામ 50 શક્તિ પીઠોની જ્યોત થી જ્યોત મિલાવી પ્રજ્વલિત કરવામાં આવી હતી. એ સાથે જ મોટી સંખ્યામાં પરિક્રમા કરાતા સમગ્ર ગબ્બરતળેટી માં અંબાના જયઘોષથી ગુંજી ઉઠી હતી. પરિકમ્મા મહોત્સવના ત્રીજા દિને 65,000 જ્યારે ત્રણ દિવસમાં 1,65,500 ભાવિકોએ માતાજીના દર્શન કરી પાવન બન્યા હોવાનુ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. 51 શક્તિપીઠ પૈકી અહીં મા શક્તિનું હૃદય છે.વિશ્વભરના એકાવન શક્તિપીઠો પૈકી આ એક એવું મહત્વનું પીઠ કે જ્યાં મા શક્તિનુ હ્રદય પડ્યું છે. તેવા ગબ્બર શક્તિપીઠનું માઈ ભક્તો માટે પણ પરમ આસ્થાનું પ્રતીક ગણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!