Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateઆત્મનિર્ભર ભારત તરફ આગેકૂચ...

આત્મનિર્ભર ભારત તરફ આગેકૂચ…

Published By : Patel Shital

  • હવે દેશમાં જ બનશે અને સસ્તામાં મળશે વિવિઘ સામાન…
  • ચીનની મોનોપોલી પુર્ણ થશે…
  • ભારત સરકારની સ્વદેશી સામાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજના…

ટુંક સમયમાં દેશમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ (QCOs) ની શરૂઆત કરવામાં આવશે જેથી હલકી ગુણવત્તાવાળા માલની આયાત તરત જ અટકાવી શકાય અને જે તે માલના ઉત્પાદન અંગે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સરકાર આગામી છ મહિનામાં એલ્યુમિનિયમ, કોપર પ્રોડક્ટ્સ અને ઘરેલું ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે ઓછામાં ઓછા 58 QCO લાવશે. એવી માહિતિ પ્રાપ્ત થઈ રહી છે. જો કે નિર્ણયની સૌથી વધુ અસર ચીન પર પડશે. હાલમાં સરકાર જે માલની આયાત બંધ કરવાનું વિચારી રહી છે તેમાંથી મોટા ભાગના માલની આયાત ચીનમાંથી જ થાય છે. એકંદરે ભારતમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે ઓછી ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે અને તેની અસર આગામી સમયમાં જોવા મળશે. તેમજ દેશમાં ઉત્પાદિત સારી ગુણવત્તાની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ ભારતમાં બનેલી પ્રોડક્ટ સારી ગુણવત્તાની હશે. આ સિવાય તેમની કિંમત સસ્તી થવાની શક્યતા છે, જેનો સીધો ફાયદો ભારતીય ગ્રાહકોને થશે. 1987થી માત્ર 34 ક્યુસીઓ લાવવામાં આવ્યા છે. પરંતુ હવે આગામી છ મહિનામાં 58 QCO લાવવામાં આવશે જેનો હેતુ બીજા દેશની વસ્તુઓની આયાતને રોકવાનો છે. જો કે ગુણવત્તાના આ ધોરણો ફરજિયાત પણે સ્થાનિક અને વિદેશી બંને કંપનીઓ માટે હશે. એમ જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!