Published By : Patel Shital
- પવન ફૂંકાવા સાથે વરસાદથી ખેતરમાં રહેલા ઘઉંના ઉભા પાકને નુક્શાન…
સમગ્ર ગુજરાત રાજયમાં તાજેતરમાં કમોસમી વરસાદ અને તીવ્ર વાવાઝોડુ ફૂંકાયું હતું. જેના પગલે ખેતીને પારાવાર નુક્શાન થતા ખેડુત પાયમાલ થઇ ગયો છે. ગુજરાતમાં માવઠાથી ખેતીમાં પાકના ઓછા ઉત્પાદન સાથે ઘઉંના દાણાની ગુણવત્તા પર થયેલી અસરથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
હાલ શિયાળુ પાકના છેલ્લા દિવસોમાં માવઠું પડવાની સાથે ભારે પવન ફુંકાવાના કુદરતી આફતના કારણે રાજયના ખેડૂતો માટે પણ પડ્યા પર પાટું લાગવા જેવી પરિસ્થિતી સર્જાઇ છે. ખેતરોમાં ઘઉંના ઉભા પાક વળી ગયા અને નુક્શાન થયુ હોવાની વિગતો રાજયના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી રહ્યાં છે. ત્યારે ડુંગળી અને બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોની જેમ હવે ઘઉંનો પાક લેનારા ખેડૂતોને પણ સરકારી સહાય મળે તેવી માંગ ઉભી થઈ છે. નોંધવું રહ્યુ કે બટાકામાં પણ પાક તૈયાર થવા આવ્યો ત્યારે જ માવઠું વરસ્યુ અને તેના કારણે બટાકામાં કાળા ડાઘ પડી જવાના કારણે ખેડૂતોને પુરા બજાર ભાવ નહીં મળવાથી નુકશાની વેઠવાની સ્થિતિ આવી પહોંચી. હવે ઘઉંના પાકમાં પણ તેનું જ પુનરાર્વતન થયું છે.