જ્યાં કેટલાક બોલી શકતા નથી.કેટલાક સાભળી શકતા નથી.તો કેટલાક બોલી કે સાંભળી શકતા નથી…
ભારતના કાશ્મીર રાજ્યનું ઍક ગામ ઍવુ છે. જ્યાં ખામોશીની દુનીયા છે માત્ર દીલ બોલે છે અને દીલ સાભળે છે.
આવું જીન સિન્ડ્રોમના કારણે થાય છે એમ તબીબો જણાવે છે ગામના કેટલાક લોકો તેને અભિશાપ માને છે.આ ગામ જમ્મુ રાજ્યમાં આવેલું છે જ્યાં અડધા બાળકો ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે.આ ગામ જમ્મુમાં છે. આ ગામનું નામ ડડકાઈ છે, જે ડોડાના ગંદોહ તાલુકાના ભલેસા બ્લોકનું એક ગામ છે. ગુર્જરોનું આ ગામ મિની કાશ્મીર કહેવાતા ભદ્રવાહથી લગભગ 105 કિલોમીટરના અંતરે પર્વતની ટોચ પર આવેલું છે. કુટુંબમાં માતા બોલી શકે છે તો તેના બાળકો બોલી શકતા નથી. તો બીજી તરફ એવા ઘણા પરિવારો છે, જેમની સમસ્યા એ છે કે અહીં જન્મેલા બાળકો બહેરા અને મૂંગા જન્મે છે. ગામમાં આવી બિમારીના કારણે આ ગામના લોકો લગ્ન કરતા શરમાતા હોય છે.
જે પરિવારોમાં બહેરા લોકો હોય તેવા પરિવારો સાથે લગ્ન કરવાનું પણ શક્ય નથી, કારણ કે વારસાગત રોગને કારણે આ ગામમાં લોકો લગ્નથી દૂર રહે છે ગામમાં કુલ 78 લોકો છે, જે ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે. આશરે 105 પરિવારો અહીં રહે છે. તેમાંથી અડધા લોકો બહેરા-મૂંગા છે. આ ગામ ખામોશ ગામ તરીકે ઓળખાય છે. ડડકાઈ ગામમાં બહેરા બાળકનો જન્મ થવાનો પ્રથમ કેસ વર્ષ 1901માં નોંધાયો હતો. 1990 માં અહીં 46 બહેરા લોકો હતા અને કેટલાક પરિવારો આ રોગને કારણે પંજાબ અને અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. જૉકે વૈજ્ઞાનિકો આનું કારણ આનુવંશિક ખામી ગણાવે છે. અલગ-અલગ સમુદાયો વચ્ચેના લગ્નને કારણે આ વિકૃતિ વધુ ફેલાઈ છે. ગામના ઘણા લોકો તેમના બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. જો કે, ગામમાં તેના વિશે કેટલીક કહાનીઓ છે અને તેને શ્રાપ તરીકે પણ જોવામાં આવે છે. હવે આ સમસ્યાથી લોકો ખૂબ જ ચિંતિત છે