Published By : Patel Shital
- અંબાજી મોહનથાળ મામલે દાંતા સ્ટેટ મહારાજા પરમવીર સિંહનું નરેન્દ્ર મોદીને ટ્વીટ…
અંબાજી મંદિરનો પ્રસાદનો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચી ગયો છે. દાંતાના મહારાજે ટ્વીટ કરી વડપ્રધાનને રજુઆત કરી હતી. અંબાજી મંદિરની ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. પ્રસાદનો આ મામલો હજુ પણ દેશભરમાં ગાજી રહ્યો છે. અનેક વખત માંગ અને રજુઆત છતાં મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવામાં ન આવતા ભક્તોમાં આક્રોશનો જ્વાળા ભભૂક્યો છે. અનેક સંગઠનો માંગ કરી રહ્યા છે. છતાં તંત્ર આ દિશામાં કાર્યવાહી ન કરતા હવે અંબાજીમાં પ્રસાદી મામલે દાંતાના મહારાજાનું ટ્વીટ સામે આવ્યું છે. દાંતા સ્ટેટ મહારાજા પરમવીર સિંહ દ્વારા PM મોદીને ટ્વીટ કરવામાં આવ્યું છે જે ને લઈને મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યોછે. જેમાં મોહનથાળનો પ્રસાદ 900 વર્ષ અગાઉથી માતાજીને ધરાવાય છે. જેની સાથે પરંપરા અને શ્રદ્ધા જળવાયેલી છે. જેથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવો અયોગ્ય છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોમાં પણ નારાજગી સાથે આસ્થા ખૂટી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.