Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalનેતન્યાહૂ વિરુદ્ધ ઇઝરાયલના ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન...

નેતન્યાહૂ વિરુદ્ધ ઇઝરાયલના ઇતિહાસનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન…

Published By : Patel Shital

  • 5 લાખ લોકો રસ્તા ઉપર ઊતર્યા…
  • 4 કારણોસર થઈ રહ્યો છે વિરોધ ..
  • લોકોને સાથ આપનાર પોલીસ ચીફની ટ્રાન્સફર…

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની સરકાર વિરુદ્ધ આશરે 5 લાખ લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ઉગ્ર દેખાવ કર્યો હતો. ઇઝરાઇલના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે. આ લોકો નેતન્યાહૂના તે બિલનો વિરોધ કરી રહ્યા છે જેમાં સુપ્રિમ કોર્ટની સત્તા ઘટાડવામાં આવી છે. ઇઝરાઇલની રાજધાની તેજ અવીવમાં 2 લાખ લોકો પ્રદર્શન માટે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર સુપ્રિમ કોર્ટ ઉપર પોતાના નિર્ણયને પાછો લેશે નહીં તો આવનારા ગુરુવારના દિવસે આ પ્રદર્શન વધુ ઉગ્ર થઈ જશે.

હાલ ઇઝરાઇલમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટા પદ ઉપર બેઠેલા પોલીસ અધિકારીઓ અને બિઝનેસમેન પણ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. હાલમા થયેલા પ્રોટેસ્ટમાં તેલ અવીવના પોલીસ ચીફ એમિશાઈ અશેદે સામેલ થઈને સરકારને ઝટકો આપ્યો હતો. અશેદ પ્રદર્શનમાં સામલે થયા ત્યારે લોકોએ તાળીઓનો ગડગડાટ કરીને તેમનું સ્વાગત કર્યું. જો કે તે પછી તેમને પદથી હટાવીને કોઇ અન્ય સ્થાને ટ્રાન્સફર કરી નાખી હતી.

આટલું ઉગ્ર આંદોલન કેમ થઈ રહ્યું છે તેના કારણો જોતા ગયા મહિને ઇઝરાયલ સરકારે સુપ્રિમ કોર્ટને લઇને એક પ્રસ્તાવ જાહેર કર્યો. તેના પાસ થવાથી ઇઝરાયલ સાંસદને સુપ્રિમ કોર્ટના નિર્ણયને બદલવાનો અધિકાર મળી જશે. જેને ‘ઓવરરાઇડ’ બિલ નામ આપવામાં આવ્યું છે. જો આ બિલ પાસ થઈ જાય છે તો સાંસદમાં જેમની પાસે બહુમતી હશે તે સુપ્રિમ કોર્ટના નિર્ણયને બદલી શકશે. લોકોનું માનવું છે કે આવું કરવાથી દેશનું લોકતંત્ર અને સુપ્રિમ કોર્ટ નબળું પડશે. નવું બિલ ચૂંટાયેલી સરકારોને ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં દખલ કરવાની મંજૂરી આપી શકે છે. જે ન્યાયતંત્રના સાચા અને ન્યાયી નિર્ણયો લેવાની શક્તિને ઘટાડશે.

નેતન્યાહૂનું નવું બિલ લાગુ થવાથી કોઈ કાનૂનને રદ કરવાના મામલે પણ સુપ્રિમ કોર્ટની તાકાત સીમિત બની જશે.

આ બિલે ઇઝરાયલને ઘણી હદે 2 ભાગમાં વહેંચી દીધું છે. ઇઝરાયલ સેનાનું કરોડરજ્જુ માનવામાં આવતા રિઝર્વવિસ્ટ(સેનાને સેવા આપનાર સામાન્ય નાગરિક)એ કહ્યું કે તેઓ સેનાને પોતાની સેવા આપવાની ના પાડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!