Published by : Vanshika Gor
ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયગાળો નક્કી કરાયો છે. ચૈત્રી નવરાત્રિમાં સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પાવાગઢ મંદિર ખુલ્લું રહેશે. 22 માર્ચથી 6 એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે.
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. અહીંથી ભક્તો પોતાના રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.