Published by : Vanshika Gor
- નદીઓમા પુરની પરિસ્થિતિ….. ઉભા પાકને પારાવાર નુકશાન… ખેડુત લાચાર….કુદરતનો આવો પ્રકોપ તા 25મી માર્ચ સુધી રહે તેવી આગાહી…
રાજ્યના જુદા જુદા વિસ્તારોમા કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.કેટલીક નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે . ઉભા પાકને પારાવાર નુકશાન થયું છે. ખેડુત લાચાર બની ગયો છે. આવુ વાતવરણ આવનાર તા 25માર્ચ સુઘી રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ હળવો વરસાદ પડ્યો હતો. દેશભરમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકને 25 ટકા સુધી નુકસાન થયું હતું. કાપીને તૈયાર રાખવામાં આવેલા પાક પર પાણી ફરી વળ્યા હતા. જ્યાં કરા વરસ્યા છે ત્યાં પાકને 50 ટકા સુધી નુકસાન થયું છે. ચણાના પાકને થયેલા નુકસાનને કારણે ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વલસાડ, દેવભૂમી દ્વારકા, ગાંધીનગર અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. આગામી 25 માર્ચ સુધી રાજ્યમા વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે..સિહોર તાલુકાના કનાડ આજુબાજુના પંથકના ગામોમાં ભારે કમોસમી વરસાદ પડતાં કનાડ ગામની નદીમાં ભર ઉનાળે પુર આવ્યું હતુ. રાજ્યની કેટલીક નદીઓ પણ બે કાંઠે વહી હતી .