Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસોમનાથમાં શ્રીકૃષ્ણ નિજધામ ગમન તિથિ પ્રસંગે કલા સાધના કરવામાં આવી..

સોમનાથમાં શ્રીકૃષ્ણ નિજધામ ગમન તિથિ પ્રસંગે કલા સાધના કરવામાં આવી..

Published by : Vanshika Gor

  • 225 થી વધુ કલાકારોએ કલાના વિવિધ સ્વરૂપોથી સાધના કરી..

સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કલાકારોએ કલાની સાધના કરી હતી પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી હતી. ચૈત્ર માસની એકમ થી હિન્દુ વર્ષનો પ્રારંભ થતો હોય છે. ખાસ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું જેના ઉદ્ઘાટક તરીકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ અને સુપ્રસિદ્ધ લોકગાયક અભેસિંહ રાઠોડે ઉપસ્થિત મહાનુભાવોને આવકારીને ઋણભાવ વ્યક્ત કર્યો હતો અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સંસ્કાર ભારતીની વિશેષ માહિતી દર્શાવતુ “બોધપત્ર” નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ તકે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર સાહેબ દ્વારા મનુષ્ય જીવનની અંદર કલા અને સંસ્કૃતિના મહત્વ વિશે ઉદબોધન કરવામાં આવ્યું હતું. સાથે ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલે કલા વિહીન મનુષ્યનું જીવન નિરાશ બની રહે છે એમ કલા ની અનિવાર્યતા વિશે તેઓએ સૌને માહિતી આપી હતી. સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત ના ઉપાધ્યક્ષ ઝાપડિયાએ સંસ્કાર ભારતીનીવર્ષોથી ચાલતી આંતરરાષ્ટ્રીય કલાપ્રવૃત્તિ ગણાવીને કાર્ય પ્રણાલી અને આચાર સંહિતાની વિશેષ નોંધ સાથે સમગ્ર કાર્ય નો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો આભાર વિધિ સંસ્કાર ભારતીના મહામંત્રી જયદીપસિંહ રાજપૂતે કરી હતી સંસ્કાર ભારતીના નિપુણ કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી , દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્યો સહિત લોકસાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની કલાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. 225 થી વધુ કલાકારો દ્વારા પોતાની કલાકૃતિ રૂપી ભક્તિથી સોમનાથ મહાદેવ અને શ્રીકૃષ્ણનો ભક્તિ અભિષેક કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!