Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeGandhinagarકેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના રાજકિય સંન્યાસના સંકેત મળતા જ રાજકીય ગરમાવો...

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના રાજકિય સંન્યાસના સંકેત મળતા જ રાજકીય ગરમાવો…

Published By : Patel Shital

    કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર રાજકીય નિવૃત્તિના સંકેત આપતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

    હાલમાં જ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ મતદારોને એવું જણાવ્યું હતુ કે ચૂંટવા યોગ્ય લાગે તો જ મત આપજો. ગડકરીના આવા નિવેદનમાંથી બે સંકેત મળી રહ્યા છે. સૌપ્રથમ તો કેન્દ્રમાં ગડકરીના અન્ય નેતાઓ સાથે મતભેદ હોય શકે છે. તો બીજી બાજુ 2024ની લોકસભાની ચૂંટણીમાં કદાચ ભાજપ ગડકરીને ટિકિટ ન આપે તે હોય શકે છે. તે સાથે ગડકરીની નજીકના લોકોના જણાવ્યાં મુજબ ગડકરી હવે પોતાના અંગત કામોમાં વધુ સમય આપવા ઈચ્છી રહ્યા છે. તો હજી એક વર્ગ એવો પણ છે કે જેઓ કહી રહ્યા છે કે ગડકરી રાજકીય સન્યાસ નહીં લે. અત્રે નોંધવું રહ્યું કે કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ગડકરી વચ્ચે અંતર વધી ગયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું તેવા સમયમાં વિદર્ભ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા અને RSS ની નજીકના નાગપુરના સંસદ નીતિન ગડકરીની ભાજપની કેન્દ્રિય ઉમેદવાર પસંદગી સમિતિમાંથી બાદબાકી થઇ જતા વડાપ્રધાન મોદી અને ગડકરી વચ્ચેનું અંતર રાજકીય ખાઈમાં પરિણમ્યું હતું. આવી રાજકીય પરિસ્થિતિમાં વિદર્ભના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રાજકીય સન્યાસ લે તેવી અટકળો વધુ તેજ બની ગઇ છે.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -
    Google search engine
    100FansLike
    300FollowersFollow
    400FollowersFollow
    700SubscribersSubscribe

    Most Popular

    Recent Comments

    ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
    ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
    error: Content is protected !!